બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / HM Amit Shah on two day visit to Gujarat from today

રાજનીતિ / અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ભાજપ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરે તેવી વકી

Gayatri

Last Updated: 12:41 PM, 10 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે હોમ મિનિસ્ટર અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે રાજનૈતિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતના પ્રદેશ માળખામાં ધરમૂળ ફેરફાર આવવના એંધાણ છે. છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના મંત્રીઓ પણ તેમના નિવેદનમાં વારંવાર અમુક પ્રકારના સંકેતો આપતા હોવાની ચર્ચાઓનું બજાર પણ ગરમ છે. ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત એ અમદાવાદના ભાજપ માળખાના આવનારા ફેરફારનું કારણ હોવાની અટકળો લગાવાઈ રહી છે.

  • મોડીરાતે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોચશે
  • 11 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત 
  • BJP અને અન્ય સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે

આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 11 જાન્યુઆરીએ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. GTU અને ગૃહવિભાગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. 

અમિત શાહ GTU સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. સાથે જ ભાજપના અને અન્ય સરકારી કાર્યક્રમોમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે. 11 જાન્યુઆરીએ દિવસભર વિવિધ કાર્યક્રમો છે. અમિત શાહ મહાત્મા મંદિર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે સાથે જ કમાન્ડિંગ ઇન કંટ્રોલ રૂમને પણ ખુલ્લો મુકશે. અન

ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક હોટલનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત નારણપુરામાં CAAના સમર્થનમાં ભાજપનો કાર્યક્રમ છે. જેમાં 5 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળો પત્ર અર્પણ કરાશે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ સોસાયટીઓના આગેવાનો સાથે ભોજન પણ કરશે. આ દરમિયાન કૌશિક પટેલ, આઈ.કે જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે.

કયા કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?

  • 11 જાન્યુઆરીએ દિવસભર અલગ અલગ કાર્યક્રમો
  • GTU અને ગૃહવિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે 
  • અમિત શાહ GTU સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે
  • ભાજપ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે
  • મહાત્મા મંદીર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ લોંચ કરશે 
  • અમિત શાહ કમાડિંગ ઈન કંટ્રોલ રૂમને ખુલ્લો મૂકશે 
  • ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક હોટેલનું ઉદ્ઘાટન કરશે
  • નારણપુરાની સોસાયટીઓના આગેવાનો સાથે ભોજન કરશે
  • નારણપુરામાં CAAના સમર્થનમાં ભાજપનો કાર્યક્રમ
  • 5 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળો પત્ર અર્પણ કરાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ