બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / gyan will become weapon bjp mission 2024 this plan made at booth level after pm modi appeal
Hiralal
Last Updated: 08:26 PM, 3 March 2024
લોકસભા ચૂંટણીના નગારા વાગી રહ્યાં છે. ભાજપે પણ પહેલા જ ઘાએ 195 ઉમેદવારો જાહેર કર્યાં બાદ એક મોટો પ્લાન બનાવ્યો છે. આ સાથે પીએમ મોદીએ મોદી પણ એક મોટું કામ કરવાના છે. બૂથામં વોટની ટકાવારી વધારવા માટે ભાજપે 'જ્ઞાન' નામની પહેલ શરુ કરી છે. આ પહેલ હેઠળ દેશના દરેક બૂથમાં લગભગ 370 વોટ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
370ના હિસાબે 6 કરોડ મતો ભાજપના ખાતામાં આવી શકે
વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારની સિદ્ધિઓને 'જ્ઞાન' (જીવાયએન) એટલે કે જી-ગરીબ, વાઈ-યુવા, ઈ-અન્નદાતા (કિસાન) અને એન-નારી વચ્ચે આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે જણાવશે અને આ (જ્ઞાન) દ્વારા દરેક રાજ્યના 1.60 લાખથી વધુ બૂથ પર પોતાની લીડ વધારવાની પહેલ કરશે. રાજ્યમાં એક બૂથમાં સરેરાશ 950 મતદારો નોંધાયેલા છે.જો બૂથ દીઠ સરેરાશ 370 મત મેળવવાનું લક્ષ્ય પૂર્ણ થાય તો લગભગ છ કરોડ વધુ મતદારો ભાજપને મત આપે તેવી શક્યતા છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને એમએલસી વિજય બહાદુર પાઠકે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાઈ રહેલી આ લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દરેક બૂથમાં 370 વોટ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે ભાજપ 'જ્ઞાન' (જ્ઞાન) એટલે કે જી-ગરીબ, વાઈ-યુવા, ઈ-અન્નદાતા (કિસાન) અને એન-નારી માટે ચાલતી સરકારની વિવિધ યોજનાઓ પર ચર્ચા કરશે અને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સંપર્ક અને સંવાદ કરશે.
10 દિવસમાં 12 રાજ્યોમાં 29 કાર્યક્રમોમાં પીએમની હાજરી
ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ પીએમ મોદી પણ એક્શનમાં આવ્યાં છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ભારત યાત્રા'ની તૈયારી કરી રહ્યા છે. તેઓ આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં ભાગ લેશે.
2019માં ભાજપને યુપીમાં 64 બેઠકો મળી હતી
ભાજપે 2019 ની લોકસભાની ચૂંટણી તેના સાથી પક્ષ અપના દળ (એસ) સાથે જોડાણમાં લડી હતી અને 64 બેઠકો મેળવી હતી, જેમાં તેના સાથી પક્ષને બે બેઠકોનો સમાવેશ થાય છે. રાજકીય વિવેચક રાજીવ રંજન સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપ જનસંઘના સંસ્થાપક નેતા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને ભાવનાત્મક રૂપે જનતા વચ્ચે લઈ જઈ રહ્યો છે. બીજા પક્ષો હજુ તો ઉમેદવારો જાહેર કરવાની અવઢવમાં છે અને પ્રચાર પણ શરુ કર્યો નથી પરંતુ તે પહેલા ભાજપ અને પીએમ મોદીએ તક ઝડપી લીધી છે અને મોટા પાયે લોકો સુધી પહોંચવાનું શરુ પણ કરી દીધું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir