બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath MLA Vimal Chudasma puts an end to resignation speculations
Priyakant
Last Updated: 02:57 PM, 20 December 2023
MLA Vimal Chudasama : ગુજરાતનું રાજકારણ હવે દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. સૌથી પહેલા આપના ધારાસભ્ય અને ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન એવી ચર્ચા છે કે, આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ તરફ હવે રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે.
રાજ્યમાં આજે કોંગ્રેસ કે આપમાંથી વધુ એક રાજીનામું પડી શકે તેવી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કેમ કોંગ્રેસ પાર્ટીએ તેમને ઘણુ બધુ આપ્યુ છે. તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જેના મન ડગે તેવા લોકો પક્ષ પલટો કરતા હોય છે.
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એકાએક રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યાં જ ગઈકાલે ખંભાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આપનાં ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા આ બાબતે ઉમેશ મકવાણાને પૂછતા આ વાતને અફવા ગણાવી હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે.
ચિરાગ પટેલના સૂર બદલાયા
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા આપ્યા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. 'ડોનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army