બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishnu
Last Updated: 12:47 PM, 9 September 2022
ગણપતિ બાપ્પા આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2022નાં રોજ પોતાના લોક પાછા ફરી જશે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કરાયું છે. આ ઉપરાંત બાપ્પાના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
ઝોન વાઈઝ વિસર્જન કુંડ બનાવાયા
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે કૃતિમ તળાવો બનાવામાં આવ્યા છે. શહેરમાં 55 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભક્તો નદીમાં કે તળાવમાં મૂર્તિઓ વિસર્જન કરીને જતા રહે છે. જેના લીધે તળાવ કે નદીનું પાણી ગંદુ થઈ જાય છે. પરંતુ આ વખતે મોટાભાગના લોકો માટીમાંથી બનેલા ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ વિશાળકાય મૂર્તિ લાવવામાં આવી છે. જેનું વિસર્જન કુંડમાં કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 55 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ઝોન વાઈઝ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
વડોદરામાં 1290થી વધુ પંડાલની મૂર્તિઓનું વિસર્જન કરાશે
વડોદરાના માણેજામાં ગઈકાલે રાત્રે નિકળેલી ગણેશ વિસર્જનની સવારીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પણ 4 કૃત્રિમ તળાવ બનાવામાં આવ્યા છે. નવલખી, વાઘોડિયા રીંગ રોડ, ગોરવા અને હરણી ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં 1290થી વધુ પંડાલની મૂર્તિઓનું વિસર્જન કરાશે. તમામ કુંડ ખાતે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કૃત્રિમ તળાવ ખાતે ફાયર બ્રિગેડ જવાનો અને તરવૈયાઓ પણ હાજર રહેશે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો શહેરભરમાં 9 DCP, 28 ACP, 90 PI, 154 PSI, 2730 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.
સુરતમાં 19 કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા
સુરતમાં આજે અંદાજે 60 હજાર ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોનમાં કુલ 19 કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરતના રાજમાર્ગ સહિત અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. 12 હજારથી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજકોટમાં આજે 7 સ્થળે ગણેશ વિસર્જન કરાશે
રાજકોટમાં આજે થશે ઠેર ઠેર ગણેશ વિસર્જન થનાર છે. મનપા દ્વારા તૈયાર કરેલા સ્થળે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટમાં આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. રાજકોટમાં વિસર્જન માટે ત્રણ કલરમાં વેચવામાં આવ્યા છે. વિસર્જન માટે ક્યાં જવું તે તંત્ર દ્વારા નક્કી કરાયું છે. શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટને કલર કોડ અપાયા છે. વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે રહેશે. તેમજ 1,654 પોલીસ બંદોબસ્તમાં રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army