બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / મનોરંજન / બોલિવૂડ / Film Adipurush prem sagar son of ramanand sagar reaction on adipurush talk on hanuman ravana character
Arohi
Last Updated: 12:27 PM, 17 June 2023
'આદિપુરૂષ'ને લઈને વિરોધનો સિલસિલો તેના રિલીઝ થવા બાદ વધારે વધી ગયો છે. મહાકાવ્ય 'રામાયણ'ના પાત્રો અને ઘટનાઓને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવાને લઈને દર્શક તેના વિરૂદ્ધ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. આ કડીમાં રામાનંદ સાગરના દિકરા પ્રેમ સાગરે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
પ્રેમ સાગરે વ્યક્ત કરી નારાજગી
એક ન્યૂઝ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપતા પ્રેમ સાગરે જણાવ્યું કે તેમણે અત્યાર સુધી ફિલ્મ તો નથી જોઈ પરંતુ ફિલ્મનું ટીઝર જોયું છે. તેમાં દેવદત્ત નાગે જે હનુમાનજીની ભુમિકા નિભાવી રહ્યા છે તે કહે છે, "તેલ તેરે બાપ કા, જલેગી તેરે બાપ કી..." તેને જોઈને લાગે છે કે ઓમ રાઉતે 'આદિપુરૂષ' દ્વારા માર્વલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
'50 વર્ષ સુધી પણ રામાનંદ સાગર જેવી રામાયણ ન બની શકે'
પ્રેમ સાગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેની સાથે તેમણે એક લાંબું-કેપ્શન પણ લખ્યું છે. પ્રેમ સાગરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "50 વર્ષ સુધી પણ રામાનંદ સાગર જેવી રામાયણ ન બની શકે... પાપાજીનો જન્મ રામાયણ બનાવવા માટે થયો હતો. તેમણે રામાયણને ફરીથી લખવા માટે આ ઘરતી પર મોકલવામાં આવ્યા હતા. જેવી રીતે વાલ્મીકિજીએ તેને છંદોમાં લખ્યું હતું. તુલસીદાસજીએ તેને અવધ ભાષામાં લખી હતી અને પાપાજીએ તેને ઈલેક્ટ્રોનિક યુગમાં લખી હતી.... રામાનંદ સાગરની રામાયણ એક એવું મહાકાવ્ય હતું જેણે દુનિયાને એક્સપીરિયન્સ કર્યો અને તેને લોકોના દિલમાં ક્યારેય ન બદલી શકાય."
ફિલ્મમાં રાવણની ભુમિકાને જણાવી ખોટી
પ્રેમ સાગરના અનુસાર તેમના પિતા રામાનંદ સાગરે પણ રામાયણ બનાવી અને તેમાં પણ તેમણે ક્રિએટિવ ફ્રિડમનો ઉપયોગ કર્યો પરંતુ તેમણે ભગવાન રામને સમજ્યા. તેમના ઘણા ગ્રંથ વાંચ્યા બાદ અમુક મામુલી ફેરફાર કર્યા અને ક્યારેય પણ તથ્યો સાથે છેડછાડ નથી કરી.
તેમણે આગળ રાવણના પાત્રની તરફ સેફ અલી ખાનના કાળા રંગને લઈને પણ વાત કરી. તેમણે કહ્યું કે રાવણ ખૂબ વિદ્વાન અને જ્ઞાની હતો અને કોઈ પણ તેને ખલનાયકની રીતે રજૂ ન કરી શકે.
ક્રિએટિવ ફ્રીડમનો ખોટો ઉપયોગ
ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે રાવણે જે પણ કર્યું ફક્ત એટલા માટે કારણ કે તે જાણતા હતા કે તેમને ભગવાન રામના હાથે મોક્ષ મળી શકે છે. ત્યાં જ જ્યારે રાવણ મરવાના હતા ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણના ચરણોમાં મોકલ્યા હતા જેથી તે તે સમયે કંઈક સીખ લઈ શકે.
તેમણે પોતાના ઈન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે પ્રેમ સાગરે કહ્યું કે આદિપુરૂષમાં ક્રિએટિવ ફ્રીડમની આડમાં રાવણને ખૂંખાર ખલનાયકની રીતે રજૂ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army