બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Even the joy of the people in the Jamnagar fair, the controversy going on inside is shocking
Vishal Khamar
Last Updated: 08:58 PM, 7 September 2023
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગરમાં શ્રાવણી મેળામાં વિવાદ ઉભો થયો છે. મેળામાં 58 પ્લોટમાંથી 33 પ્લોટનાં વીજ કનેક્શન કપાતા વિવાદ સર્જાયો છે. જેમાં 33 પ્લોટને નોટીસ ફટકારી વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. તેમજ પ્લોટ ધારકોને 13.50 લાખનો દંડ ફટકારાયો છે. 58 પ્લોટ ધારકમાંથી માત્ર 8 પ્લોટ ધારકોએ ફાયર સેફ્ટીની મંજૂરી મેળવી છે. ત્યારે એકપણ રાઈડ્સ ધારકો પાસેથી પણ કોઈ દંડ વસુલવામાં આવ્યો નથી. તેમજ એક પણ રાઈડ પર ભાવ પણ ન લગાવવામાં આવતા દંડ ફટકારાયો હતો. જેથી રાઈડ ધારકો મનફાવે એવા ભાવ પણ વસૂલે છે. હવે જોવાનું એ છે કે વિવાદનો મેળો ક્યારે પૂરો થશે.
અમુક પ્રશ્નોને હલ કરવા ચાર ફાયર ઓફિસરોની ટીમ બનાવી છેઃ ફાયર અધિકારી
આ બાબતે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, જે શ્રાવણ મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. તેનું આયોજન જામનગર મહાનગર પાલિકા દ્વારા જ આયોજન કરવામાં આવેલું છે. તેમજ તેમાં રાઉન્ડ અ ક્લોક ફાયરની બે ગાડીઓ સ્ટાફ તેમજ ઓફિસર સાથે રાઉન્ડ ક્લોક છે. તે ઉપરાંત જે બીજા કંઈ રાઈડ્સ છે તેઓને પરફોમન્સ લાયસન્સની જરૂર હોય છે. જે માટે કલેક્ટર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં ફાયર ઓફિસર, પીજીવીસીએલ, મીકેનીકલ વિભાગ સાથે સંયુક્ત આ લોકોને તપાસીને રિપોર્ટ રજૂ કરતા હોય છે. એ પણ કરવામાં આવેલ છે તે ઉપરાંત અમારા ઓફિસર દ્વારા કલેક્ટરમાંથી જે અરજીઓ આવી છે તે મુજબ એનઓસી પણ અત્રેથી ઈશ્યું કરવામાં આવી છે. જેમાં અમુક પ્રશ્નો ધ્યાને આવ્યા છે હાલમાં જેને હલ કરવા માટે અને એક ચાર ફાયર ઓફિસરોની કમિટી બનાવી છે. જે ટીમ રોજે રોજ મેળાની જગ્યાએ મુલાકાત લેશે તેમજ જે કંઈ પણ ત્યાં તકલીફ હશે તે દૂર કરવાનો અમે પ્રયત્ન કરશું.
ફાળવણી કરાયેલ પ્લોટની જગ્યા કરતા વધારે જગ્યાનો ઉપયોગ કરાતો હતોઃ મુકેશ વરણવા
જામનગર મહાનગર પાલિકાનાં એસ્ટેટ વિભાગનાં અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગર પાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયાથી શ્રાવણી મેળા માટે ટેન્ડરીંગ પદ્ધતિથી 58 જેટલા પ્લોટનું ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. અને જે સૌથી ઉંચા ભાવ આવ્યા હતા. તે લોકોને પ્લોટની ફાળવણી કરાઈ હતી. તેમજ તમામ પ્લોટની સાઈઝ ફીક્સ હોય છે. જ્યારે ફરીથી માપતા પ્લોટ જે સાઈઝ કરતા આપવામાં આવ્યો હતો. તેનાથી વધુ ઉપયોગ કરતા હતા. જેના માટે શુક્રવારે સાંજે તમામ લોકોને પૈસા ભરવા માટે નોટીસ આપવામાં આવી હતી. તેઓ દ્વારા કોઈ પણ જાતનાં પૈસા ન ભરતા આજ સવારે 33 જેટલા પ્લોટ ધારકોનાં પીજીવીસીએલને જાણ કરીને ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army