બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 08:57 AM, 3 April 2023
Fruits For Summer: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ હતો હોય છે. નોંધનીય છે કે ઉનાળાની ઋતુમાં અપચો અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ વધી જાય છે અને એટલા માટે ક આ સિઝનમાં વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ઉનાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાની પણ જરૂર છે જેથી મોસમી રોગોથી બચી શકાય. જો કે એટલા માટે જ ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉનાળાના મોસમી ફળોમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા ફળોનું વધુ સેવન કરવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
1. સંતરાઃ
હેલ્થ એક્સપર્ટસ અનુસાર ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં સંતરા ખાવા જોઈએ. સંતરામાં હાજર બીટા કેરોટીન અને વિટામિન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ તેમાં સારી માત્રામાં ફાઈબર, વિટામિન-બી અને ફોલેટ પણ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં આ ફળની માંગ ઝડપથી વધી જાય છે.
2.લીચી:
સામાન્ય રીતે આ ફળ દરેક ઋતુમાં ખાવા જોઈએ પણ ઉનાળાની ઋતુમાં તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. આ ફળમાં વિટામિન બી અને સીની સાથે કોપર અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
3. જાંબુ:
ઉનાળામાં જાંબુ ખાસ ખાવા જોઈએ. આ ફળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. જાંબુમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન સી અને પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ પણ હોય છે.
4. તરબૂચ:
તરબૂચ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું મુખ્ય ફળ છે તરબૂચમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ ફળ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
5. અનાનસ:
અનાનસમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે આ સાથે જ તે પ્રોટીન અને ચરબીના પાચનમાં પણ ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતથી બચાવે છે. એટલા માટે ઉનાળામાં પણ અનાનસનું સેવન કરવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army