બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / doctors said raju shrivastava situation is serious

Big News / કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની હાલત ગંભીર, બ્રેઇન ડેડ અવસ્થામાં, હૃદયમાં પણ વધી તકલીફ

Arohi

Last Updated: 03:24 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત બગડી
  • 10 ઓગસ્ટે દિલ્હી AIIMSમાં કર્યા હતા દાખલ 
  • વર્ક આઉટ કરતા ટ્રેડમિલ પર થયા હતા બેભાન 

કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. તેઓ 10 ઓગસ્ટથી દિલ્હી AIIMSમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે શ્રીવાસ્તવની હાલત નાજુક છે. કોમેડિયનની હેલ્થ અપડેટ દરરોજ રિલીઝ કરવામાં આવે છે. 10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શું કહી રહ્યા છે ડૉક્ટર્સ? 
ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમની હાલત ઘણી નાજુક છે. તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. વાસ્તવમાં, રાજુ શ્રીવાસ્તવને ભૂતકાળમાં હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ થોડા સમય બાદ તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

ત્યાં જ હવે ફરી એકવાર તેમની તબિયત લથડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે તેમની હાલત ખૂબ જ નાજુક છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ ભાનમાં આવ્યા નથી.

બ્રેઈન ઈન્જરી 
રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યાને એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ તેઓ ભાનમાં આવ્યા નથી. તેનું હૃદય અને પલ્સ લગભગ સામાન્ય રીતે કામ કરી રહ્યા હતા પરંતુ મગજના એક ભાગમાં ઈજાના નિશાન છે. મગજમાં ઓક્સિજનની અછતને કારણે આ ઈજા થઈ છે. શુક્રવારે 13 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે માથાના ઉપરના ભાગમાં મગજના ભાગમાં કેટલાક ધબ્બાઓ જોવા મળ્યા હતા. ડૉક્ટરો આ ધબ્બાઓને ઈજાઓ હોવાનું જણાવી રહ્યા છે.

ટ્રેડમિલ પર પડી ગયા 
તેમના ભાઈએ જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ બુધવારે સવારે વર્કઆઉટ કરતી વખતે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ પછી તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

અમિતાભ બચ્ચને શેર કર્યો સંદેશ 
દરેક લોકો રાજુ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માને છે. તે અમિતાભના મોટા ફેન છે તેથી ડૉક્ટરની સલાહ પછી, તેના પરિવારે બિગ-બીને કહ્યું કે જે મેસેજ જે મેસેજ તેમણે રાજુ માટે લખીને મોકલ્યો છે તે તેને રેકોર્ડ કરીને મોકલે જેથી રાજુને સંભળાવી શકાય. 

આ પછી, અમિતાભ બચ્ચને તરત જ રાજુ શ્રીવાસ્તવ માટે પોતાના અંદાજમાં ઘણા સંદેશાઓ રેકોર્ડ કરીને મોકલ્યા. તેમાંથી કેટલાકમાં તેમણે કહ્યું 'રાજુ ઉઠો, બસ હવે બહુ થયું', હજુ ઘણું કામ કરવાનું બાકી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ