બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / coronavirus case surge in kerala sign financial crisis
Bhushita
Last Updated: 07:50 AM, 8 August 2021
કોરોના વાયરસના વધતા કેસને લઈને અનેક વાર અહીં લોકડાઉન અને કડક નિયમો લાગૂ કરાયા છે જેને લઈને હવે અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે. આ સાથે જ મૃત્યુદર હોય, વેક્સિનેશન, ટ્રેકિંગ અને ટેસ્ટિંગમાં પણ રાજ્ય સૌથી આગળ છે. પણ દૈનિક કેસમાં સતત વધારો થતા મુશ્કેલી વધી રહી છે. કોરોના ટેસ્ટિંગ પોઝિટિવ આવવાથી એક મહિનાથી વધારે સમયથી કેસ ઝડપથી વધી રહ્યા છે જેનાથી વિશેષજ્ઞો પણ ચિંતામાં છે.
કેરળમાં જોવા મળી રહી છે અસામાન્ય સ્થિતિ
અહીં જીવન બચાવવા માટે અને આજીવિકા માટે સંઘર્ષની સ્થિતિ બની રહી છે. મલપ્પુરમમાં કેટલાક જિલ્લામાં સ્થિતિ જટિલ બની છે. અહીં સરેરાશ ટીઆરપી 15 ટકાથી વધારે છે. રાજ્યમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં ખેડૂતો અને વ્યાપારીનો સમાવેશ થઈ રહ્યો છે, કોરોના વધતા લોકો હતાશ થઈ રહ્યા છે. રાહત પેકેજ પણ ખાસ મદદ કરી રહ્યા નથી.
આર્થિક તંગીના કારણે એક સ્ટ્રીટ વેન્ડરે લગાવ્યું બોર્ડ
કેરળમાં તિરુવનંતપુરમમાં એક સ્ટ્રીટ વેન્ડરે આર્થિક તંગીથી બહાર આવવા બોર્ડ લગાવ્યું છે. તેની પર લખ્યું છે કે મારી કિડની અને લિવીર સારા છે. હું તેને વેચવા તૈયાર છું. આ રીતની નોટિસ એક બસ માલિકે પણ લગાવી છે. કોઝીકોડ સ્ક્રેપમાં વેચાણ માટે તૈયાર છે. હાલમાં કેરળમાં ક્યાંય પણ તમને આવા દ્રશ્યો જોવા મળી શકે છે. રાજ્યમાં 2 મહિનામા 30થી વધુએ આત્મહત્યા કરી છે. તેની પાછળનું મુખ્ય કારણ કોરોના હતું અને સાથે દુકાનો પર વેચાણ માટે એવા બોર્ડ પણ જોવા મળી રહ્યા છે.
<
Shops in malls will be allowed to open on the same conditions stipulated for opening other shops from 11th August onwards, after making all required precautionary arrangements: Kerala Government pic.twitter.com/F670uCXTEg
— ANI (@ANI) August 7, 2021
કેન્દ્રએ પણ માંગ્યો છે જવાબ
2 દિવસ પહેલા સરકારે મહામારીના નિયંત્રણના ઉપાયો પર ફરીથી વિચાર કરવા મજબૂર થવું પડ્યું છે. કેસ વધવાની સાથે કેન્દ્ર પણ રાજ્ય પાસે જવાબ માંગી રહ્યું છે. સ્થિતિથી ખ્યાલ આવે છે કે આ ઉપાયોને સંકટ સામે લડવામાં વધારો કરવાની જરૂર છે. બજારો, પર્યટન સ્થળો અને અન્ય જગ્યાઓ પર સાંભળવા મળી રહ્યું છે કે અમારે હજુ કેટલા દિવસ સુધી મુશ્કેલી ભોગવવી પડશે. પણ કોઈની પાસે આ સવાલનો જવાબ નથી.
Kerala reports 20,367 new #COVID19 cases and 139 deaths.
— ANI (@ANI) August 7, 2021
Active cases: 1,78,166
Death toll: 17,654
શું રહેશે નિયમ
નવા નિયમ અનુસાર દુકાનો, મોલ અને કામ કરનારા લોકોએ કોરોના સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. નવા નિયમોથી ગુસ્સામાં આવેલા વેપારીઓએ દુકાનો બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે નિયમો યોગ્ય છે. અમે કોરોનાને સામાન્ય રૂપમાં નહીં લઈ શકીએ. અમારે ત્રીજી લહેરને લઈને શક્ય કડક પગલા લેવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army