બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cm bhupendra patel big Decision for gujarati people
Kavan
Last Updated: 03:34 PM, 26 December 2021
મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સ્વીકાર્યાના પ્રથમ દિવસથી ભૂપેન્દ્ર પટેલ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ગુજરાતની જનતાના હિતમાં નવા-નવા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક પ્રજાલક્ષી નિર્ણયની તેમણે જાહેરાત કરી હતી.
ઇ-શાસનથી સુશાસન - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓ તથા મહેસૂલી સેવાઓના ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાને કારણે હવે રાજ્યમાં મહેસુલી સેવાઓ મળી રહી છે એક ક્લિક પર...#GoodGovernance pic.twitter.com/Ld6jGFawlT
— CMO Gujarat (@CMOGuj) December 26, 2021
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનહિતનો નિર્ણય કર્યો કે, સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સ્વયં પ્રમાણિત માન્ય રાખવામાં આવશે.
સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતલક્ષી નિર્ણય - ગણોતધારાની મુદતમાં વધારો#GoodGovernanceDay pic.twitter.com/3ncBcpsWM6
— CMO Gujarat (@CMOGuj) December 25, 2021
ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ મળશે ઓનલાઇન
આ સાથે જ હવેથી ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન મળશે. આ સાથે જ બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થશે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે અને 2019થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે.
સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતલક્ષી નિર્ણય - ગણોતધારા અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં વધારો#GoodGovernanceDay pic.twitter.com/gp4MTR73Pe
— CMO Gujarat (@CMOGuj) December 25, 2021
બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની સમય મર્યાદામાં ફેરફાર
તેમણે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું કે, હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની ૧૩૫/ડી નોટીસની સમયમર્યાદા ૩૦ દિવસથી ઘટાડી ૧૦ દિવસ કરવામાં આવી છે, લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન થશે, ગણોત ધારા કલમ-૩૨ એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ૩ વર્ષનો વધારો કરાયો છે, ગણોત ધારા કલમ-૪૩ તથા કલમ-૬૩ ની મુદત અનુક્રમે ૨ વર્ષથી વધારી ૫ વર્ષ તથા ૫ વર્ષથી વધારી ૧૦ વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી છે, PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે.
સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકહિતના નિર્ણયોની ભેટ - ઓનલાઈન ડિજિટલી સીલ પ્રોપર્ટી કાર્ડની નકલ હવે નાગરિકોની સુવિધામાં કરશે વધારો.#GoodGovernanceDay pic.twitter.com/VwqMAkkpUn
— CMO Gujarat (@CMOGuj) December 25, 2021
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્ય સરકારની વિવિધ ગુડ ગવર્નન્સ પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં, સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢિકરણ માટે ઇ-સરકાર પોર્ટલ, જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App, સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા E-કુટીર પોર્ટલ, વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ, પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફૉર્મ અને મોબાઇલ એપનો સમાવેશ થાય છે.
“ઇ-સરકાર” એપ્લિકેશનનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, ‘સુશાસન દિવસે’ ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ'ને સમયાનુકુલ વધુ અદ્યતન સુવિધાઓ સાથે સુદ્રઢ બનાવી રહ્યા છીયે. રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” એપ્લિકેશનનો પણ પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir