બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel arrives at Narmada Dam: 23 gates were opened while filling Narmada Dam
Malay
Last Updated: 08:55 AM, 17 September 2023
Narmada News: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણ નર્મદા ડેમમાં વરસાદની આવક થઈ છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં 18,62,960 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમના 23 દરવાજા ખોલીને 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના કર્યા વધામણા
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમની મુલાકાતે પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા SOUની આજુબાજુ બનાવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે.
જિલ્લા 800થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા જિલ્લામાં વરસાદ પડતા અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તિલકવાડા, નાંદોદ, રાજપીપળામાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમથી 10 કિલોમીટર દૂર ગરુડેશ્વર મેઈન હાઇવે પર પાણી ભરાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા હાઇવે પર આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા
ગરુડેશ્વરથી રાજપીપલા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગરુડેશ્વર હાઇવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે. નર્મદક ડેમમાંથી 10 કિલોમીટર દૂર વિયર ડેમ બનવવામાં આવ્યો છે. વિયર ડેમ ખાતે નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. SOUની આજુબાજુ બનાવવામાં આવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ફરી વળ્યાં છે.
SDRFની ટીમો તૈનાત
નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લા કર્મચારી-અધિકારીઓ સેન્ટડ બાય રખાયા છે. નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army