બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 06:34 PM, 28 March 2024
વર્ષ 2024ની ચૈત્રી નવરાત્રી 9મી એપ્રિલથી શરૂ થશે. ચૈત્ર મહિનાની સુદ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે. મંગળવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી આ વખતે દૂર્ગા માતા ઘોડા પર સવાર થઈને આવશે. આ વખતે ચૈત્રી નવરાત્રી ખૂબ જ ખાસ છે. કારણ કે વર્ષો બાદ ચૈત્રની એકમ પર અનેક શુભ સંયોગો પણ બની રહ્યા છે. જેથી આ દરમિયાન પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થશે.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અભિજિત મુહૂર્ત સાથે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ થવાનો છે. સવારે 7.35 પછી દિવસભર સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે. ઉપરાંત બપોરે 12.03 વાગ્યાથી અભિજીત મુહૂર્ત શરૂ થઈ રહ્યુ છે, જે 12.54 વાગ્યા સુધી રહેશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક યોગનું વિશેષ મહત્વ છે. બધા યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાર અને નક્ષત્રના સંયોગને સર્વાર્થ સિદ્ધિ યોગ કહેવાય છે. અમુક વારે આવતા વિશેષ નક્ષત્રોના સંયોગથી આ યોગ બને છે. જ્યારે કોઈ શુભ સમય ન હોય તો આ યોગની સાથે શુભ, લાભ કે અમૃત ચોઘડિયુ જોઈને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં દેવીની ઉપાસના કરવાથી તમામ ઇચ્છાઓ પુરી થાય છે. જો સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં પૂજા કરવામાં આવશે તો તેનો વિશેષ લાભ મળશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દુર્ગાની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ નવરાત્રીમાં નવ દિવસ દુર્ગા માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પંચાગ અનુસાર 9 એપ્રિલની સવારે 6:24 થી 10:28 સુધી કળશ સ્થાપના માટે શુભ મૂહુર્ત છે.
વાંચવા જેવું: આજે આ તારીખે જન્મેલા લોકોને થશે જોરદાર ફાયદો, ભરપૂર પૈસા મળવાના યોગ
માન્યતા મુજબ નવરાત્રીનો પ્રથમ દિવસ મંગળવાર હોવાથી આ વખતે દુર્ગા માતાનું વાહન ઘોડો છે. ઘોડા પર માતાના આગમનને શુભ સંકેત માનવામાં આવતું નથી. જ્યારે પણ માતા ઘોડા પર સવાર થઈને આવે છે, ત્યારે સામાજિક અને રાજકીય સ્તરે મોટા ફેરફારો જોવા મળે છે. દેશ અને દુનિયામાં યુદ્ધની સંભાવના રહે છે, મોટા રાજકીય પરિવર્તન પણ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army