બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 04:21 PM, 16 October 2023
પાટણના સાંતલપુરમાં સરકારી કામનો ખાનગી કોન્ટ્રાક્ટર બેફામ બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર લક્ષ્મણ આહીરએ દાદાગીરી કરી ગ્રામજનને ધમકાવતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે.મુદ્દોએ હતો કે બોરૂડા ગામમાં નાળાની કામગીરી નબળી થતી હોવાથી ગ્રામજનો સવાલ કરતા કોન્ટ્રાક્ટરે પિત્તો ગુમાવ્યો હતો અને બેફામ બોલતા મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કોન્ટ્રાક્ટરને સામાન્ય સવાલો કર્યા હતા
બોરૂડા ગામમાં નાળાની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાકટરને સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને કોન્ટ્રાક્ટર બેફામ બન્યો હતો. કામ અંગે ફોન કરતા કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને અપશબ્દો કહ્યાં હતા. સ્થાનિક સવરમ ચૌધરી સામે કોન્ટ્રાકટરે ઉગ્ર ભાષામાં વાત કરી હતી. સવરમ ચૌધરીઓ કોન્ટ્રાક્ટરને સામાન્ય સવાલો કર્યા હતા. પણ કોન્ટ્રાક્ટર લક્ષ્મણ આહીરે સ્થાનિકને સરળ ભાષામાં જવાબ આપવાના બદલે ઉગ્ર બનીને બેફામ ગાળો આપી હતી.
કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવે છે
આ સમગ્ર ઘટનાક્રમનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિકો પણ આ મામલે તપાસની માંગ કરી રહ્યાં છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નાળાની નબળી કામગીરી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલા સમયથી નાળાનું કામ કરવામાં આવી રહ્યું છે. પણ તેમાં હલકી ગુણવત્તાનો સામાન કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવી રહ્યો છે. જો કોન્ટ્રાક્ટરને સવાલ કરવામાં આવે તો તે પોતાની મનમાની ચલાવે છે.
જો કામ નબળું રહેશે તો સુવિધા ક્ષણભંગી સાબિત થશે
લોકોમાં રોષની જ્વાળા ભભૂકી રહી છે અને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેવી લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે જે નાળુ બનાવવામાં આવી રહ્યું છે તે ત્રણ ગામોને જોડે છે. જો કામ નબળું રહેશે તો સુવિધા ક્ષણભંગી સાબિત થશે. ત્યારે આ નાળાની કામગીરીને લઈને તપાસ થવી જ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir