બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / broken track was found in the up line of the railway near nabipur
Dhruv
Last Updated: 12:49 PM, 12 September 2022
ભરૂચના નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ પણ પ્રકારની દુર્ઘટના નથી ઘટી. ગેંગમેનની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઇ. ગેંગમેનને ચેકિંગ દરમ્યાન તૂટેલી હાલતમાં પાટો મળી આવતા તાત્કાલિક ધોરણે વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને નબીપુર-પાલેજ પાસે ઉભી રાખી દેવાઇ.
ભરૂચ: નબીપુર નજીક રેલવેમાં અપ લાઈનનો પાટો તૂટ્યો, મુંબઈ જતી 3 ટ્રેનો અટકાવાઈ#Bharuch
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2022
અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ સુધી ઠપ રહ્યો હતો
નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટવાના કારણે અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર પણ 30 મિનિટ સુધી ઠપ રહ્યો હતો. મહત્વનું છે કે, ઠંડી અને ગરમીના કારણે રેલવેના પાટા સંકોચાવાની વિસ્તરણની ઘટના દરમ્યાન હજારો ટન વજનની ટ્રેન પુરપાટ ઝડપે ટ્રેક ઉપરથી પસાર થાય ત્યારે આ પ્રકારની ટ્રેક ફેક્ચરની ઘટના ઘટતી હોય છે.
આ ઘટના પાછળ આ કારણ જવાબદાર હોઇ શકે
તમને જણાવી દઇએ કે, ક્યારેક અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતી હોય છે ત્યારે જે-તે ભાગ નબળો પડી જવાથી તૂટી જાય છે. આવી જ એક ઘટના સોમવારના સવારે 9 કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ઘટી હતી. વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો પાટો તૂટી ગયો હતો. આથી, જ્યારે સોમવારે સવારે ફરજ બજાવનાર ગેંગમેનના ચેકિંગ દરમ્યાન પાટો તૂટેલી હાલતમાં દેખાતા તુરંત વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને અટકાવી દેવાઇ.
પાટામાં ભંગાણની જાણ PWIને પણ કરાઇ હતી
રેલવે ટ્રેક ચેકિંગ દરમ્યાન પાટો તૂટ્યાનું ધ્યાને આવતા તુરંત આ ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. મહત્વનું છે કે, પાટામાં ભંગાણની જાણ PWIને પણ કરવામાં આવી હતી. આથી, કહી શકાય કે રેલવે ગેંગમેનની સમયસૂચકતાથી મોટી રેલવે દુર્ઘટના ઘટતા-ઘટતા ટળી ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army