બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / bihar politics lalu yadav on narendra modi on mahagathbandhan rally in patna

પટણા / 'માથું નહોતું મૂંડાવ્યું તો પછી હિંદુ શાના'? લાલુ યાદવે PM મોદી પર કર્યાં આકરા પ્રહારો, બીજું ઘણું બોલ્યાં

Hiralal

Last Updated: 04:30 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે પટણા રેલીમાં પીએમ મોદી અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યાં હતા.

બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની રેલીમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. લાલુએ કહ્યું કે મોદી શું કોઈ ચીજ છે? તેઓ આજકાલ પરિવારવાદ પર હુમલા કરી રહ્યાં છે. તેઓ કહે છે કે લોકો પરિવાર માટે લડી રહ્યા છે. તમારી પાસે પરિવાર નથી. લાલુએ કહ્યું કે જ્યારે તમારા માતાજીનો દેહાંત થયો હતો ત્યારે તમે માથું નહોતું મૂંડાવ્યું. હિંદુઓમાં મરણ પ્રસંગે લોકો વાળ-દાઢી મૂંડાવતાં હોય છે. તમે કેમ ન કર્યું? 

વધુ વાંચો : PM મોદીએ ભાજપને આપ્યું આટલું દાન, પહોંચ શેર કરતાં લોકોને કરી દાનની અપીલ

નીતિશ કુમારને ગણાવ્યાં પલટૂરામ 
આરજેડી પ્રમુખ લાલુ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે કહ્યું કે અમે તેમને કોઈ ગાળો આપી નથી. જ્યારે તે પહેલી વાર આવ્યાં ત્યારે અમે તેમને ગાળો નહોતી આપી, અમે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓ પલટૂરામ છે. અમારે તેમની સામે નહોતું જવું જોઈતું પરંતુ અમે ફરીથી ભૂલ કરી. તેજસ્વીએ ભૂલ કરી. તેઓ નરેન્દ્ર મોદીના પગ નીચે ગયા, ફરી પાછા ફર્યા. લાલુ યાદવે કહ્યું કે, "હું જોઉં છું કે કોઈએ માળા પહેરી છે, કોઈએ ફૂલો પહેર્યા છે... શું નીતીશ કુમારને આ બધું જોઈને શરમ નથી આવતી? તેઓ જુએ છે કે તેમનું શરીર પણ કામ કરતું નથી. 

ગઈ કાલે બિહારમાં પીએમ મોદી-નીતિશ કુમારની હતી સંયુક્ત રેલી
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બિહારના ઔરંગાબાદમાં પીએમ મોદી અને નીતિશ કુમારની સંયુક્ત રેલી હતી જેમાં નીતિશ કુમારે હવે બીજે કયાંય નહીં જઉ કહીને પીએમ મોદીને ખડખડાટ હસાવી મૂક્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ