બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch: Trains canceled due to heavy rains, 6000 people affected by floods
Malay
Last Updated: 10:28 AM, 19 September 2023
Narmada News: ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નીચે પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. ગોલ્ડન બ્રિજ નીચે હાલ 27 ફૂટે નર્મદા નદી વહી રહી છે. હાલ પાણી ઓછું થતાં સ્થિતિ નિયંત્રણમાં છે. તો બીજી બાજુ ભરૂચનો નર્મદા બ્રિજ ફરી શરૂ કરાયો છે. પૂરના પાણી ઓસરતા બ્રિજ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચના કલેક્ટરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. મહત્વનું છે કે, નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત થયું હતું. લગભગ 6000 લોકો પૂરના પાણી પ્રભાવિત થયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. તો દુકાનોમાં પાણી ઘુસી જતાં માલ-સામાન પાણીમાં પલળી ગયો હતો.
નર્મદા નદી બની હતી ગાંડીતૂર
ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હતી, જેના કારણે ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. અંકલેશ્વર શહેરમાં નર્મદાના ધસમસતા પાણીએ વિનાશ વેર્યો હતો. શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતાં. તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાયો હતો.
ટ્રેનોના થંભી ગયા હતા પૈડા
તારીખ 18 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણી ખતરાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનો રિસિડ્યુલ કરવામાં આવી હતી. તેમજ ધીમેથી અને સાવધાનીથી ચલાવવામાં આવી હતી.
ભારે વરસાદથી આ ટ્રેનો કરાઈ હતી રદ
વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ હતી. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં (1) ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, (2) ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, (3) ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, (4) ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, (5)ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, (6) ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, (7) ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, (8) ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, (9) ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, (10) ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ, (11) ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, (12) ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા
વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા મુંબઇ-ભરૂચના મુસાફરો અટવાયા હતા. એટલું જ નહીં ઘણા રેલવે સ્ટેશન પર ટ્રેનો 11 કલાક સુધી મોડી પડી હતી. ટ્રેનોમાં ફસાયેલા પેસેન્જરોને રેલવે તરફથી ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army