બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch MP Mansukh Vasavan's resentment against Bharuch and Narmada District President
Dinesh
Last Updated: 08:11 PM, 16 September 2023
લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરી રહી છે, તો ભાજપ સરકાર પણ વિવિધ વિકાસ કાર્યની વાત પ્રજા સામે વર્ણવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્વ પક્ષપલટાનો માહોલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. જેને લઈ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમજ તેમણે ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે
સાંસદ મનસુખ વસાવાની નારાજગી
ભરૂચના MP મનસુખ વસાવાની ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે નારાજગી સામે આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સામે તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલથી સાસંદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. અત્રે જણાવી દઈએ કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં વરણી કરાઈ છે. કોંગ્રેસ નેતા હરેશ વસાવાના ભાજપમાં જોડાવા પર મનસુખ વસાવાએ જણાવ્યું કે, હરેશ વસાવા નર્મદા જિલ્લાના રહેવાસી છે. અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા લોકોને 5 વર્ષ બાદ પદ આપો. હરેશ વસાવા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ બચાવવા માટે ભાજપમાં જોડાયો છે. વધુમાં કહ્યું કે, હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી મનસુખ વસાવા નારાજ નથી પણ પરામર્શ કરી ને જોડવા જોઈએ.
'નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા'
મનસુખ વસાવાએ કહ્યું કે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા છે. ભાજપની સૌથી મોટી તાકાત છે, તો વિચારધારા વગરના લોકો ને જોડવાની કોઈ જરૂર જ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ગોરખધંધા કરતા હતા તેમના ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે. હરેશ વસાવા પોતે મજબૂત થાય ભાજપને મજબૂત કરવાની કોઈ જરૂર નથી ભાજપ તો મજબૂત જ છે. કોંગ્રેસના હરેશ વસાવાને જોડતા હોઈ બીજા કોઈ લોકોને પણ જોડતા હોઈ તો આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા અને તેમના સાથીઓને પણ ભાજપમાં ફરી જોડવા જોઈએ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army