ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / NRI News / Before traveling to Canada, understand the difference between a visa and a permit
Last Updated: 01:11 PM, 28 March 2024
ADVERTISEMENT
આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. જેથી ગુજરાતથી કેનેડા જતા લોકોને ત્યાં ક્યાંકને ક્યાંક મિત્રો કે સબંધી જોડે ભેટાળો થઈ જ જતો હોય છે. કેનેડામાં સારુ એજ્યુંકેશન હોઈ લોકો ત્યાં ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરંતું કેટલાક વિદ્યાર્થીઓ કેનેડાની વિઝા તેમજ તેમની પરમીટને લઈ મૂંઝવણ અનુભવે છે. ત્યારે વિઝા તેમજ પરમિટ અંગેનાં નિયમો અલગ છે. ત્યારે આવો જાણીએ કેનેડાનાં વિઝા અને પરમિટ વચ્ચેનો તફાવત..
ADVERTISEMENT
શું છે કેનેડાનાં વિઝા?
કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર કેનેડાનાં વિઝા ઈશ્યૂં કરે છે. જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. કેનેડાની સરકાર દ્વારા તમારા પાસપોર્ટ પર એક સ્ટીકર લગાવવામાં આવે છે. જેનાં પર તમારુ નામ, જન્મ તારીખ તેમજ તમે ક્યાં હેતુથી એટલે કે વર્કર, સ્ટડન્ટ અથવિ વિઝિટર સહિતની તમામ વિગતો હોય છે. તેમજ તેમાં પાસપોર્ટ ઈશ્યૂ તેમજ એક્સપાયરીની તારીખ પણ લખેલી હોય છે. જો તમારી પાસે કેનેડાના વિઝા છે તો એનો મતલબ એવો નથી કે તમને કેનેડામાં ભણવાનો કે ત્યાં કામ કરવાનો અધિકાર મળી જતો નથી. વિઝા માત્ર કેનેડામાં એક લીગલ પ્રવેશ માટે જ હોય છે..
વિઝા માટે ક્યાં કરશો અરજી?
સૌ પ્રથમ તો કોઈપણ દેશનાં નાગરિકરને કેનેડા જવા માટે વિઝાની જરૂર પડતી હોય છે. જે માટે તેઓએ સૌ પ્રથમ તો કેનેડિયન એમ્બેસી અથવા તો વિઝા એપ્લિકેશન સેન્ટર મારફતે વિઝા લઈ લેવા. જ્યાં સુધી આપની પાસે વેલિડ વિઝા નહી હોય ત્યાં સુધી આપને કેનેડાની ફ્લાઈટમાં બોર્ડિંગ પણ કરવા દેવામાં આવશે નહી. પરંતું જો કેનેડા પહોંચ્યા પછી જો વિઝા એક્સપાયર થઈ જાય તો કેનેડા પહોંચ્યા બાદ પણ રિન્યુઅલની અરજી કરી શકાય છે. જો આપ વેલિડ વિઝા પર કેનેડાથી પરત આવશો તો બીજી વખત તમને કેનેડામાં રિ-એન્ટ્રી મળશે નહી.
ADVERTISEMENT
કેનેડા જતા પહેલા પરમીટ મેળવી કેમ જરુરી
કેનેડાની અંદર કામ કરવા કે ભણવા માટે પરમિશન લેવી જરૂરી છે. જેની મર્યાદાઓ પણ નક્કી કરવામાં આવેલ છે. કેનેડાની પરમિટ માટે ઘણા નિયંત્રણો અથવા શરતો પણ નક્કી કરવામાં આવી છે. કેનેડામાં વિઝાથી વિપરીત પરમિટ મળ્યા બાદ કેનેડામાં કામ તેમજ ભણવાની તમને મંજૂરી મળી જાય છે. તમારે ત્યાં કંપનીમાં અથવા તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં માત્ર પરમિટ દેખાડવાની હોય છે. ત્યારે પરમીટનાં માધ્યમથી તમે કેનેડામાં એન્ટ્રી અથવા રિ-એન્ટ્રી કરી શકશો નહી. તે માટે તમારે વિઝાની જરૂર છે.
ભારતનાં લોકોએ કેનેડા જતા પહેલા અમુક બાબતોનુ ખાસ ધ્યાન રાખવું જરુરી છે. ભારતીય નાગરિકે કેનેડા જતા અગાઉ વિઝા તેમજ પરમિટ બંને મેળવી લેવું જરૂરી છે. તેમજ તેના માટે વ્યવસ્થિત અરજી કરો તેમજ જરુરી ડોક્યુમેન્ટ સબમીટ કરો. પરંતુ તમે જો અમેરિકા અથવા તો યુરોપિયન યુનિયનથી કેનેડા જવાનું વિચારી રહ્યો છો તો કેનેડાનાં વિઝા વગર એન્ટ્રી કરી શકો છે. પણ તમારે ત્યાં કામ કરવા માટે બોર્ડર અથવા પોર્ટ ઓફ એન્ટ્રીથી પરમિટ લેવી તો જરુરી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ જો તમે પણ કરી રહ્યાં છો આ કોર્સ, તો કેનેડાની સ્ટડી પરમિટ લેવી અઘરી પડશે
વિઝા અને પરમિટની એક્સપાયરી ડેટ
વિઝા અને પરમિટની એક્સપાયરી ડેટ વિશે વાત કરવામાં આવે તો તમે કેનેડાનાં વિઝાની એક્સપાયરી થઈ ગયા બાદ પણ જો તમારી પાસે વેલિડ પરમિટ છે તો તમે કેનેડામાં રોકાઈ શકો છે. પરંતું એક વાતની સાવચેતી રાખવી જરુરી છે કે તમે વેલિડ વિઝા વગર દેશ છોડશો તો ત્યારે બાદ તમારી ફરી કેનેડામાં રિ-એન્ટ્રી થઈ શકશે નહી. જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પણ નહી જઈ શકે. જેથી કેનેડા જતા લોકોએ આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જરુરી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો