બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Manisha Jogi
Last Updated: 12:52 PM, 27 February 2024
ભારતીય ક્રિકેટ ટીમના અનેક ખેલાડી ટેસ્ટ મેચ અને ઘરેલુ સીરિઝ કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર વઘુ ફોકસ કરે છે. ભારતીય ટીમના અનેક ખેલાડીઓ પર આ પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર BCCI ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓનો પગાર વધારી શકે છે. તમામ સીરિઝ રમતા ખેલાડીને બોનસ પણ મળી શકે છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ અનુસાર IPL 2024 પછી BCCI ટેસ્ટ પ્લેયર્સનો પગાર વધારી શકે છે. BCCI તમામ ટેસ્ટ સીરિઝમાં રમતા પ્લેયર્સને બોનસ પણ આપી શકે છે. ક્રિકેટ બોર્ડ ખાસ કારણોસર આ બદલાવ કરવા માંગે છે. અનેક પ્લેયર્સ IPLમાં ફિટ રહેવા માટે રણજી ટ્રોફી અને ઘરેલુ મેચમાં નથી રમી રહ્યા. થોડા સમય પહેલા આ જ કારણોસર ઈશાન કિશન ચર્ચામાં આવી ગયા હતા. BCCIએ કહેવા છતાં ઈશાન કિશને ઝારખંડ માટે મેચ રમી નહોતી. શ્રેયસ અય્યરે પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ છોડી દીધી હતી.
BCCI ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા આપે છે. 2016માં ખેલાડીઓનો પગાર ડબલ કરી દેવામાં આવ્યો હતો. ખેલાડીઓને એક વન ડે મેચ માટે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે. એક T20 મેચ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. ખેલાડીઓને ગ્રેડ અનુસાર વાર્ષિક પગાર પણ આપવામાં આવે છે. પ્લેયર્સનો બોર્ડ સાથે કોન્ટ્રાક્ટ પણ હોય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'બની શકે કે IPLમાં પણ ના રમે', વિરાટ કોહલીને લઇ સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી
IPL પછી ખેલાડીઓનો પગાર પણ વધી શકે છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારત આ સીરિઝમાં 3-1થી આગળ છે. ઈંગ્લેન્ડે આ સીરિઝમાં 28 રનથી પહેલી મેચ જીતી હતી, ત્યારપછી ભારતે સતત ત્રણ મેચમાં જીત મેળવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT