બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 09:24 PM, 22 February 2023
છેલ્લા કેટલાક દિવસથી બરોડા ડેરીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ડેરીના વહીવટને લઈને ધારાસભ્ય દ્વારા અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. તેની વચ્ચે આજે બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન જી.બી.સોલંકીએ રાજીનામું આપી દીધું છે.બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન જી.બી.સોલંકીએ કે કોઈ પણ પ્રકારના દબાણ વગર રાજીનામુ આપ્યાનો દાવો કર્યો છે. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેરીમાં શાંતિથી હવે કામ થઈ તેવું વાતાવરણ ના હોવાથી રાજીનામુ આપ્યું છે. સાથે સાથે કોઇ ધારાસભ્યો કે જવાબદારોનું રાજીનામુ આપવા માટે દબાણ ન હોવાનું પણ ડેરીના કાર્યકારી ચેરમેને જણાવ્યું હતું.
ધારાસભ્ય કેતન ઇનમદારએ કહ્યું..
તો આ મુદ્દે MLA કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી દિવસમાં યોગ્ય નિર્ણય લેવાશે અને થોડા દિવસ પૂરતી લડત બંધ રાખો, ડેરીમાં પશુપાલકના હીતની વાત થશે તેવી ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે આગામી દિવસમાં ભૂતકાળમાં સારા નિર્ણય થયા એવા નિર્ણય કરવામાં આવશે. કેતન ઇનમદારએ કહ્યું કે રાજકીય બાબત અલગ છે. આ મુદ્દે મારું કોઈ વ્યક્તિગત હિત નથી એટલું જ નહીં મારે ડેરીમાં પણ જવાનું નથી પરંતુ પશુપાલકના હિતની વાત ચોક્કસ કરીશ. ઉપરાંત નવું બોર્ડના બેસે ત્યાં સુધી આંદોલનની કોઈ વાત નથી. તેમ આંતમાં કહ્યું હતું.
શુ છે સમગ્ર મામલો ?
બરોડા ડેરી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે. જેમા થોડા સમય અગાઉ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરીના વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા.
કેતન ઈનામદારે અગાઉ શું આક્ષેપ કર્યા હતા?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army