બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 11:02 AM, 25 June 2023
તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આવનારા કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેકંટેશ્વર મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલ છે. હાલમાં જમ્મૂ, નવી મુંબઈ, ગુજરાત, છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વનું મંદિર બનાવવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં પણ ભગવાન વેંકટેશ્વનું મંદિર બનાવવાનો વિચાર છે, જે બાબતે નીતિશકુમાર સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
વર્ષ 1933માં તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે આ ટ્રસ્ટ તિરુમાલામાં આવેલ ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર, તિરુચનૂરમાં આવેલ શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરૂપતિમાં શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિરનું સંચાલન કરતી હતી. ત્યારપછી આ ટ્રસ્ટે 9 દાયકામાં ભગવાન વેંકટેશ્વના 58 મંદિરની સ્થાપના કરી. મોટાભાગના મંદિર દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે. ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત સમગ્ર દેશમાં ભગવાન વેંકટેશ્વના મંદિરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે.
તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે વર્ષ 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી. ટ્રસ્ટે વર્ષ 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેકંટેશ્વરના મંદિરની સ્થાપના કરીને પદચિહ્ન સ્થાપિત કર્યા. જમ્મૂમાં 8 જૂન 2023ના રોજ ભગવાન વેંકટેશ્વરના મંદિરનો શુભારંભ થયો છે.
મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરના પ્રતિકૃતિની શરૂઆત કરવામાં આવી છે. જે માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની કિંમતની 10 એકર જમીન મંદિર ટ્રસ્ટને આપી છે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ આ મંદિરના નિર્માણ માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના અધ્યક્ષ વાઈવી સુબ્બા રેડ્ડી જણાવે છે કે, 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભગવાન વેકંટેશ્વરના મંદિરનું નિર્માણ કરીને ભક્તોના દ્વાર સુધી લઈ જવાનો એક પ્રયાસ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના નિર્દેશો પછી તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દક્ષિણ ભારતીય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં પણ નાના મંદિરનું નિર્માણ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army