બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / As part of the preparations for the Lok Sabha elections, the core committee met at the Gujarat Pradesh Congress office
Vishal Khamar
Last Updated: 06:55 PM, 16 August 2023
ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ ક્યાં ક્યાં કાર્યક્રમો કરવા તેની ચર્ચા થઈ હતી. કોંગ્રેસનાં નવા સંગઠન માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમજ કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરબદલનાં શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત છે. તેમજ આગામી ટૂંક સમયમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવશે. તેમજ હોદ્દા પર રહીને કામગીરી નહી કરે તો હોદ્દો લઈ લેવાશે. તેમજ ખાલી પડેલી તાલુકા-જીલ્લાની જગ્યાએ સત્વરે ભરવામાં આવશે. સંગઠનમાં આપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરાશે. કોંગ્રેસે 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કરશે.
પક્ષ છોડીને ગયેલા નેતાઓ માટે કોંગ્રેસનાં દ્વાર ખુલ્લા રહેશેઃ મનીષ દોશી
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે, શક્તિસિંહનાં અધ્યક્ષ સ્થાલે કો. ઓર્ડીનેશન કમિટીની બેઠક મળી હતી. 5 કલાક લાંબી ચાલેલી આ બેઠકમાં સંગઠનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ 20 મી ઓગસ્ટ રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાશે. શક્તિસિંહ ગોહિલ 33 જીલ્લા અને 8 મહાનગરપાલિકામાં જનસંપર્ક યાત્રા કરશે. પક્ષ છોડીને ગયેલા નેતાઓને શક્તિસિંહ ગોહિલ ઘરવાપસી કરાવશે. જુદ જુદા ક્ષેત્રનાં સામાજિક આગેવાનો પક્ષ સાથે જોડવામાં આવશે. તેમજ સહકારી ક્ષેત્રની બેઠક પણ આગામી દિવસોમાં બોલાવવામાં આવશે. ભારત જોડો યાત્રા-2 માટે રાષ્ટ્રીય નેતૃત્વ કાર્યક્રમ જાહેર કરાશે. તેમજ ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને આ બાબતે આમંત્રણ આપેલું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir