બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / As many as 80 students from Rajkot who had gone on an educational trip got stuck now the train has started
Kishor
Last Updated: 10:02 PM, 1 October 2023
રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા 80 વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં ફસાયા હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. જે અંગે વતનમાં જાણ થતા વાલીઓ અધિરા બન્યા હતાં. બીજી બાજુ વિધાર્થીઓને પણ ભૂખ્યા, તરસ્યા ઉપાધીનો કોઈ પાર ન હતો. આ અંગે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું હતું. બાદમાં રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી..જેમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થઈ જતા હવે રાજકોટમાંથી પ્રવાસ માટે ગયેલા અને મહારાષ્ટ્રમાં ફસાયેલા 80 વિદ્યાર્થીઓ હેમખેમ છે અને તકલીફ પાર પડતા હવે ટ્રેન રવાના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ @RailMinIndia મને ફરિયાદ મળી છે કે , રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) થી રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થઈ રહ્યા છે. રેલવેના… pic.twitter.com/Dfc43ZsdEe
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) October 1, 2023
શુ હતી સમગ્ર ઘટના!
રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) સહિતના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતી વેલાએ મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક આ વિધાર્થીઓ અટવાયા હતા. ટ્રેન બંધ થતાં વિધાર્થીઓ સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થયા હતા. બીજી તરફ રેલવેના અધિકારીઓ મુસાફરોને સ્વખર્ચે ખાનગી બસ પણ બાંધવા ન દેતા હોવાના આરોપ લાગ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં જમવાની તો ઠીક પણ પાણી સહિતની પણ સુવિધા ન હતી.. જેને લઈને તમામ બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા..
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને મદદની કરી માગ
બીજી બાજુ આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વીટ કરી કહ્યું કે રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશ મને ફરિયાદ મળી છે કે , રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) થી રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થતા હતા તે મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી. હવે જાણવા મળી રહ્યું છે. ટેકનીકલ ફોલ્ટ ઉકેલાઈ જતા ગાડી શરૂ કરી દેવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir