બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 10:43 PM, 12 July 2023
હિમાચલ પ્રદેશમાં જળ પ્રલયની સ્થિતિ સર્જાઇ છે. કુદરતી આફતમાં અનેક લોકોનાં મોતના સમાચાર મળી રહ્યાં છે. દેશના ટોચના પ્રવાશન સ્થળોમાંથી એક એવા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયો છે. પર્વતો પરથી જાણે આફત વહેતી હોય તેમ નદીઓમાં પુર જોવા મળી રહ્યાં છે. અનેક પૂલ અને રસ્તાઓ ધોવાઇ ગયા છે. આ કુદરતી આફતમાં અનેક પ્રવાસીઓ પણ અટવાયા છે. આ પ્રવાસીઓમાં ગુજરાતના પણ અનેક લોકો ફસાયા છે અને તેઓને ત્વરીત મદદ કરે તેવી માગણી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ કરી છે.
મોટરસાયકલથી ટેલરમેઈડ ટ્રીપ પર મનાલીથી પ્રવાસે નીકળેલ 14 જેટલા ગુજરાતીઓ છેલ્લા 3 દિવસથી ચંદ્રતાલથી સંપર્કવિહોણા બન્યા હતા . ખુશીના ખબર છે કે આ બધી વ્યક્તિઓ ચંદ્રતાલ ખાતે કેમ્પમાં સુરક્ષિત છે તેવી માહિતી આજે અત્યારે પ્રાપ્ત થઈ છે . https://t.co/n2DUHaYVdT
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 12, 2023
મનાલી બાદ ત્યાંથી ચંદ્રતાલ ગયા હતા: શક્તિસિંહ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે હિમાચલમાં 14 જેટલા ગુજરાતીઓ પણ ગુમ થયા છે, ગુમ થયેલા આ લોકોમાં મોટાભાગના યુવાનો છે, જેઓ બાઇક લઇને હિમાચલ ફરવા નિકળ્યા હતા. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે આ તમામ યુવાનોની મદદ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે અને તેઓને સુરક્ષિત રીતે વતન પહોંચાડવામાં આવે છે. શક્તિસિંહે જણાવ્યું કે ગુમ થયેલા આ યુવાનો છેલ્લે મનાલી સુધી સલામત પહોંચ્યા હતા. ત્યારબાદ ચંદ્રતાલ ગયા હતા, અને ત્યાંથી ત્રીલોકનાથ જવા નીકળ્યા હતા. જો કે ત્યારબાદથી આ તમામ યુવાનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેમની કોઇ ભાળ નથી.
સરકાર આ યુવાનોને શોધે તેવી મારી અપીલ છે: શક્તિસિંહ
પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકારને અપીલ કરી છે કે ગુમ થયેલા તમામ ગુજરાતીઓ માટે ત્વરીત પગલા લેવામાં આવે છે. આ યુવાનોના પરિવારજનોમાં હાલ ચિંતાનો માહોલ છે. કુદરતી આફત સમયે સરકારે આગળ આવવું જોઇએ અને શક્ય એટલી તમામ મદદ પહોંચાડવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army