બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Politics / arjun ram meghwal pm modi hit two targets

રાજકારણ / રાજસ્થાનને સાધવાની તૈયારીમાં ભાજપનો એક્શન પ્લાન, અર્જુન રામ મેઘવાલના બહાને એક તીરથી બે નિશાન

Kishor

Last Updated: 08:47 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી મંડળના બદલાવને રાજકીય વિશ્લેષકો અલગ અંદાજથી જોઈ રહ્યા છે અને મેઘવાલને કાયદા મંત્રી બનાવી પીએમ મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

  • કેન્દ્રીય મંત્રી મંડળમાં બદલવાનો મામલો
  • PM મોદીએ એક કાંકરે બે પક્ષી મર્યાનો વિશ્લેષકોનો દાવો
  • રાજસ્થાન ચૂંટણીમા થશે લાભ?

આજે કેન્દ્રીય મંત્રી મંડળમાં બે મોટા બદલાવ કરવામા આવ્યા જેમાં ખાસ કાયદા પ્રધાન કિરેન રિજિજુને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. જેના સ્થાને અર્જુન રામ મેઘવાલને કેબિનેટમાં સ્થાન આપી કાયદા પ્રધાન બનાવવા જાહેરાત કરી છે. જ્યારે રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી અપાઈ છે. આ નિર્ણયને રાજકીય વિશ્લેષકો અલગ અંદાજથી જોઈ રહ્યા છે અને મેઘવાલને કાયદા મંત્રી બનાવી પીએમ મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનો સુર પુરાવી રહ્યા છે.

Arjun Ram Meghwal - Wikipedia

અગાઉથી જ સંસદીય બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા અર્જુન રામ મેઘવાલનું સરકારે કદ વધારી દીધું છે. તો કિરેન રિજિજુ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે પણ ઘણો તણાવ ભર્યો સબંધ ચાલી રહ્યો હતો. આથી હવે સરકારના આ નિર્ણયથી મંત્રાલય અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ચાલી રહેલા તણાવનો પણ અંત આવે તેવું માનવામાં આવી રહ્યું છે. એ જ રીતે રાજસ્થાની ચૂંટણી અગાઉ આ નિર્ણય લેવાયો હોવાથી મેઘવાલનું પ્રમોશન પણ રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવી કરી શકે છે.

કિરેન રિજિજુને હટાવવા પાછળનું કારણ

લાંબા સમયથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સતત મતભેદો હતા, તેનું કારણ કાયદા પ્રધાન કિરેન રિજિજુ હતા. કિરેન રિજિજુ અનેક વખત સવાલ ઉભા કરી ન્યાયાધીશ વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતા. આથી કર્ણાટકમાં હાર અને રાજસ્થાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેઘવાલને આ જવાબદારી સોંપી. આ નિર્ણય પાછળનું ખાસ કારણ એ પણ છે કે વાસ્તવમાં મેઘવાલની ગણતરી રાજસ્થાનના મોટા નેતાઓમાં થાય છે.તો મેઘવાલને પ્રમોટ કરીને પાર્ટીએ રાજસ્થાનના લોકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. તે દલિત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય રાજસ્થાનની રાજનીતિનું ગણિત નક્કી કરે છે. અને કિરેન રિજિજુ અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. આમ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનું વિશ્લેષકો કહી રહ્યા છે. 

Image


રાજસ્થાનની 34 બેઠકો SC અને 25 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત

વધુમાં અર્જુન રામ મેઘવાલ દલિત સમુદાયમાંથી આવે છે, આવી સ્થિતિમાં અહીં દલિત મતો પર તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે. રાજસ્થાનની ચૂંટણી માથે છે અને તેમાં પણ રાજસ્થાનની રાજનીતિનું ગણિત દલિત વોટ બેંક નક્કી કરતી હોય તેવી સ્થિતી છે. રાજ્યમાં 200 બેઠકો છે, જેમાંથી 34 બેઠકો SC અને 25 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. વધુમાં રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા લગભગ 18 ટકા છે અને અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા લગભગ 13.49 ટકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ