બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishal Khamar
Last Updated: 03:40 PM, 3 April 2023
ડાંગ જીલ્લા ભાજપ સંગઠનમાં વધુ એક કાર્યકરે રાજીનામું આપ્યું છે. ત્યારે આહવા મંડળ પ્રમુખ સંજય ડી. વ્યવહારે રાજીનામું આપ્યું છે. સંજય ડી. વ્યવહારે સી.આર.પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યું છે. ત્યારે જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જે હવે ચરમસીમાએ પહોચ્યો છે. ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્ય વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. સવારે જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ત્યારે આગામી સમયમાં હોદ્દેદારો પણ રાજીનામા આપે તેવી શક્યતા છે.
આંતરિક વિવાદમાં જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપી દીધું છે. વાત જાણે એમ છે કે, ડાંગ પંથકમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડાંગ ભાજપ સંગઠન-ચૂંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે, આંતરિક વિવાદમાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે.
શું કહ્યું દશરથ પવારે?
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં દશરથ પવારે લખ્યું કે, હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે. આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે.
ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ
ચર્ચાઓ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યુ છે. ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. નોંધનીય છે કે, ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir