બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 11:14 PM, 18 March 2024
ખેડામાં ડાકોર પગપાળા જતા લોકોને લઇ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી દિવસોમાં ડાકોર ખાતે ફાગળસુદ પુનમનો મેળો ભરાનાર હોય અને વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઇવે પરથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને જાનહાની થવાનો સંભવ રહે છે. જેથી કેટલાક રસ્તાઓ પર આવતા-જતા વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડાયવર્ટ આપવામાં આવ્યો છે.
સમગ્ર જાહેરનામું વાંચવા અહીં ક્લિક કરો
આ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે
પગપાળા દર્શનાર્થીઓને વાહનો અવર જવર લઈને અકસ્માતો અને જાનહાનિ સંભવાના વધુ હોઈ કેટલાક રોડ બંધ કરાયા છે. રસ્તાઓ બંધ કરતા વૈકલ્પિક રૂટ પરથી અવર જવર કરી શકશે. અત્રે જણાવીએ કે, જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો બીજી સાઈડ રોડ પરથી અવર જવર ચાલુ રહેશે. જ્યારે વિઝોલ ચાર રસ્તાથી જશોદા નગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રિંગરોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એકસપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 16 માર્ચથી 26 માર્ચ સુધી એક સાઈડનો રોડ બંધ રહેશે
વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસના આ ઉમેદવારે લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શક્તિસિંહને પત્ર લખી કારણ પણ જણાવ્યું
આ વાહનો ચાલી શકશે
આ જાહેરનામુ ફાયરબ્રિગેડ,એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરીયાતની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તથા તેને લગતા સાધન-સામગ્રી લઇ જતા વાહનોને લાગુ પડશે નહી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir