બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / AMC commissioner scolds corporator over illegal construction, says do work if official breaks
Mehul
Last Updated: 06:28 PM, 26 November 2021
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં શહેરમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉછળ્યો હતો. શહેરમાં ગેરકાયદે બાંધકામ મામલે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરને જવાબ આપ્યો હતો.મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામ થતું હોય તો કોર્પોરેટર ફરિયાદ કરે અને ગેરકાયદે બાંધકામ મામલે જો કોઈ અધિકારી તોડ કરે તો પણ ફરિયાદ કરે. સાથે જ કોર્પોરેટર ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન ન આપે તેવી અપીલ પણ કરી છે.
નગરસેવકો ફરિયાદ કરે; કમિશનર
અમદાવાદમાં ઠેર-ઠેર થઇ રહેલા ગેરકાયદે બાંધકામ મુદ્દે મહાપાલિકાની સામાન્ય સભામાં મુદ્દો ઉઠતા,કમિશનરે કહેવું પડ્યું હતું કે, શહેરમાં ક્યાય પણ ગેરકાયદે બાંધકામ કોર્પોરેટરનાં ધ્યાનમાં આવતું હોય તો તેમને ફરિયાદ કરવી જોઈએ અને ગેરકાયદે બાંધકામને કોઈ ખોટી રીતે પ્રોત્સાહન આપતું હોવાનું પણ ધ્યાનમાં હોય તો જાણ કરવી જોઈએ. સાથોસાથ કોઈ અધિકારી નાણાની લેવડ-દેવડથી ગેરકાયદે બાંધકામ પર ઢાંક-પીછોડો કરતો હોય તો પણ ફરિયાદ કરવા આહવાન કર્યું છે.
કોઈ અવ્યવહારુ વલણ નહિ ચલાવી લેવાય
રાજ્યમાં બે મહિના પહેલા સતાસ્થાને ગોઠવાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવહારુ વલણ નહિ ચલાવી લેવાના સંકેત અપાયા હતા. રાજ્યના અને ખાસ કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે મહાપાલિકાની આ નીતિ જરૂરી છે. પરિણામે અમ્દાવાદ્ મહાનગર પાલિકાના કમિશનરે ,નગર સેવકોને આ પ્રકારે ફરિયાદ કરવા પ્રોત્સાહન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir