બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All the districts of Gujarat have been alerted due to Biporjoy Cyclone
Malay
Last Updated: 03:15 PM, 9 June 2023
દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગોવા, મુંબઈ, પોરબંદર અને કરાચીમાં જોવા મળી શકે છે. આ દરમિયાન અહીં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે કહ્યું કે, બિપોરજોય આગામી 48 કલાકમાં ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.
જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ
ગુજરાતના પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળશે. સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.
સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
સંભવિત "બિપોરજોય "વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય રજાઓ રદ્દ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતી અને સલામતીના પગલાં લેવા સૂચના આપી છે. ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવા દ્વારા પણ પૂર્વ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. તમામને કચેરીમાં હાજર રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ગીર સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ
ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાવાઝોડું ગીર સોમનાથની નજીક આવતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવિત વાવાઝોડાને લઈને ગીર સોમનાથનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હાલ વેરાવળના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
બોટો પરત બોલાવી લેવાઈ
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈને અમરેલી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. જાફરાબાદના દરિયા કિનારે બોટો લાંગરવાની શરૂઆત કરવામાં આવી છે. દરિયામાંથી તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના અપાઈ છે. દરિયા કિનારેથી બોટોને કન્ટેનરમાં ભરીને સમારકામ માટે લઈ જવાઈ છે.
પોરબંદર શહેરમાં ઉતારી લેવાયા હોર્ડિંગ
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય નામનું વાવાઝોડું પોરબંદરથી 870 કિ.મી. દૂર છે. જેને પગલે સમુદ્રના પાણીનો રંગ બદલાયો છે. વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં થવાની આગાહીના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તંત્રએ આશ્રય સ્થાનો નક્કી કરવામાં આવ્યાં છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાંથી હોર્ડિંગ ઉતારી લેવાયા છે.
સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે હજુ નક્કી નથી. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army