બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 05:51 PM, 18 October 2023
એક બાજુ રાજ્યમાં કોરોનાકાળ બાદ હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. બીજી બાજુ આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલ વિગત અનુસાર રાજકોટમા હાર્ટએટેક નહિ પરંતુ હદય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પર થઈ ગયો હોય તેવું સામે આવ્યું છે.
વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી
છેલ્લા 3 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી છે. વર્ષ 2021માં 1879 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે. જેમા વધારો થયો છે અને વર્ષ 2022માં 2426 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હતી. તો વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હોવાનું હોસ્પિટલમાં સત્તાવાર રીતે આંકડા સામે આવ્યા છે. તેમ રાજકોટ સિવિલ સુપ્રિ. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે.
કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલજગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી રાજકોટમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે સુરતમાં કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે.
રાજકોટમાં 32 વર્ષના યુવકનું મૃત્યુ
રાજકોટના આણંદપર ગામે રહેતો વિપુલ નામનો 32 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોકટરે વિપુલને મૃત જાહેર કર્યો હતો. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.
સુરતમાં કંપનીના કામદારનું હાર્ટએટેકથી મોત
આ ઉપરાંત સુરતના ઓલપાડના ઓરમા ગામે આવેલી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ ગૌતમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સહકર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રાકેશને તપાસતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ડોક્ટરે મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ અંગેની જાણ વતનમાં યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army