બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 04:43 PM, 10 March 2024
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ફરી રહી છે. કોંગ્રેસ સરકાર આવશે તો યુવાનોને રોજગારની ગેરંટી આપીને 30 લાખ ખાલી જગ્યાઓ ભરવામા આવશે. પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે વિશેષ કાયદો બનાવીને લીક કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચી હતી. જે યાત્રાના સ્વાગત સમયે અહેમદ પટેલના પરિવારની ગેરહાજરી જોવા મળી હતી.
'....એટલે નારાજગી હોઇ શકે'
રાહુલ ગાંધીના ભરૂચ આગમન સમયે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની ગેરહાજરી જોવા મળતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસ સાથે જ છે અને કોંગ્રેસ સાથે કામ કરશે. ફૈઝલ અને મુમતાઝની ચૂંટણી લડવાની ઇચ્છા હતી એટલે નારાજગી હોઇ શકે પરંતુ ગઠબંધનના કારણે આ બેઠક અમારે ગુમાવવી પડી છે.
'भारत जोड़ो न्याय यात्रा' का 11 मार्च को विश्राम रहेगा।
— Congress (@INCIndia) March 10, 2024
12 मार्च को दोपहर 2 बजे से यात्रा फिर शुरू होगी। उस दिन एक आदिवासी सम्मलेन होगा और फिर 13 मार्च को धुले में एक महिला अधिवेशन होगा।
इस अधिवेशन को कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे और श्री राहुल गांधी संबोधित करेंगे।… pic.twitter.com/CO9yIIvMfW
વાંચવા જેવું: બાળકોને કાનના મશીનમાં મોટી સહાય, હોસ્પિટલ સુધી મફત મુસાફરી, CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
ભરૂચ બેઠક AAPના ખાતે જતા નારાજ થયા હતાં
અહેમદ પટેલ ભરૂચ કદાવર નેતા હતા. તેઓ કોંગ્રેસના વિશ્વાસું નેતા પૈકીના એક હતાં. તેમની પુત્રી મુમતાઝ પટેલે અને તેમના પુત્ર ફૈઝલ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતા હતા. પરંતુ INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થતા તેમનું આ બેઠક આપના ખાતામાં જતા ફૈઝલ અને મુમતાઝ બંન્ને નારાજ થયા હતાં. ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી AAPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે બંન્ને નેતાઓની ગેરહાજરીને લઈ ફરી એક વાર ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીની આ યાત્રામાં આપ નેતાઓ પણ જોડાયા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army