બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / A young couple from Tamil Nadu drowned while on a honeymoon trip to the Indonesian island of Bali.
Pravin Joshi
Last Updated: 03:30 PM, 11 June 2023
ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર હનીમૂન ટ્રિપ પર ગયેલા તમિલનાડુના એક યુવક દંપતીનું ડૂબી જવાથી કરૂણ મોત થયું છે. તમિલનાડુના સાલેમ જિલ્લાના ડોક્ટર લોકેશ્વરન અને પુવરિંદા વલ્લીની વિબુષ્ણીના લગ્ન ચેન્નાઈના પૂંટામલ્લી ખાતે 1 જૂનના રોજ થયા હતા.તેમના લગ્નના એક અઠવાડિયા પછી ચેન્નઈ સ્થિત એક ડૉક્ટર દંપતી શુક્રવારે બાલીમાં તેમના હનીમૂન પર હતા ત્યારે ડૂબી ગયા. વાસ્તવમાં નવવિવાહિત કપલ સ્પીડ બોટ પર ફોટોશૂટ કરાવી રહ્યું હતું. આ દરમિયાન તેમણે સંતુલન ગુમાવ્યું અને ડૂબી ગયા. અકસ્માતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ડોક્ટરના પરિવારજનો મૃતદેહને પરત લાવવા બાલી પહોંચી ગયા છે. મૃતકોની ઓળખ પૂનમલ્લીના લોકેશ્વરન અને વિબુષ્ણી તરીકે થઈ છે. બંનેએ 1 જૂનના રોજ લગ્ન કર્યા હતા.
પુંતમલ્લી સેનીરકુપ્પમ પાસે રહેતી સેલ્વમની પુત્રી વિબુષ્ણી (25) ડોક્ટર તરીકે કામ કરતી હતી. સાલેમ જિલ્લાના ડૉક્ટર વિબુષ્ણી અને લોકેશ્વરન પ્રેમમાં હતા. જ્યારે બંને ડોક્ટરોએ પરિવારને તેમના પ્રેમ વિશે જણાવ્યું તો તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા. ત્યારબાદ 1 જૂનના રોજ વિબુષ્ણી અને લોકેશ્વરન પુનતમલ્લીમાં એક લગ્ન મંડપમાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા.
કપલ હનીમૂન માટે બાલી ગયા હતા
દરમિયાન થોડા દિવસો પહેલા નવપરિણીત યુગલ તેમના હનીમૂન મનાવવા માટે ઇન્ડોનેશિયાના બાલી ગયા હતા. બીચ પર મોટર બોટમાં ફોટોશૂટ કરી રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવવાથી બંને ડૂબી ગયા હતા. શુક્રવારે લોકેશ્વરનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે વિબુષ્ણી મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો.
પરિવારમાં આક્રંદ
આ અંગેની જાણ થતાં પરિવારજનો આક્રંદથી રડી પડ્યા હતા. પરિવાર હવે મૃતદેહોને ચેન્નાઈ પરત લાવવાની વ્યવસ્થા કરી રહ્યો છે. તેણે ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. ઈન્ડોનેશિયાથી ચેન્નાઈની કોઈ સીધી ફ્લાઈટ ન હોવાથી મૃતદેહોને તમિલનાડુ પાછા લાવવામાં આવે તે પહેલાં મલેશિયા લઈ જવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir