બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A donation of crores of rupees was collected by Shiva Rath for the construction of Valinath temple
Vishal Khamar
Last Updated: 04:53 PM, 10 January 2024
વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવનાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મંદિરના નિર્માણ કાર્ય માટે રાજ્યભરમાં શિવ રથ દ્વારા દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. વિસનગર ખાતે નિર્માણ થનાર વાળીનાથ ભગવાનની શોભાયાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ત્યારે વાળીનાથ મંદિરનાં નિર્માણ કાર્ય માટે ફરી રહેલા રથમાં રબારી સમાજદ્વારા મન મુકીને દાન આપવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં માત્ર આઠ જ દિવસમાં દાનવીરો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું.
અમદાવાદમાં રબારી સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યું
વાળીનાથ ભગવાનની શોભાયાત્રા પહેલી જાન્યુઆરીએ અમદાવાદમાં પ્રવેશી હતી. અમદાવાદનાં રબારી સમાજનાં ભક્તો દ્વારા માત્ર આઠ જ દિવસમાં 13 કરોડ 18 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. ત્યારે વિસનગર પાસે ધરબ ગામે બની રહેલ ભગવાન વાળીનાથનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રબારી સમાજે ગામે ગામ અને શહેરોમાં શિવ રથ દ્વારા દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શોભાયાત્રા અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા રબારી સમાજનાં લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી 2024 માં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આ મંદિરના નિર્માણ માટે આશરે 200 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. તેમજ વાળીનાથ મહાદેવ મંદિરનાં પૂ. જયરામગિરિ દ્વારા મંદિર નિર્માણ કાર્યનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 2024 નાં ફેબ્રુઆરી મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે.
વધુૃ વાંચોઃ દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે ગુજરાતમાં: વાઇબ્રન્ટ સમિટમાં થયેલ આ એલાનથી જાણો ગુજરાતને શું થશે ફાયદો
બે વર્ષ પહેલા કરાઈ હતી જાહેરાત
બે વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાળીનાથ મંદિરમાં રબારી સમાજ દ્વારા રજતતુલા કરવામં આવી હતી. ત્યારે રજત તુલામાં વપરાયેલ ચાંદીમાંથી 50 ટકા રેક્ટ સંસ્થા માટે તેમજ 50 ટકા ચાંદી વાળીનાથ મંદિરનાં નિર્માણ માટે વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army