બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 people died of the same family due to pothole in bharuch's netrang
Dhruv
Last Updated: 12:23 PM, 1 September 2022
રાજ્ય (Gujarat) માં હાલ રસ્તાઓની જે ખરાબ હાલત જોવા મળી રહી છે તેને લઇને દરેક જગ્યાએ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પડેલા ઠેર-ઠેર ખાડાઓના કારણે લોકોએ અકસ્માતના ભોગ બનવું પડે છે. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે.
ખાડાથી બચવાનો પ્રયાસ કરવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી
ભરૂચમાં ખાડાના કારણે તલાટી સહિત 3 લોકોના મોત નિપજ્યાં છે. તલાટી મહિલા સહિત એકજ પરિવારના ત્રણ લોકોએ ખાડાના કારણે જીવ ગુમાવ્યો છે. આ બનાવ નેત્રંગ તાલુકાના રમણપુરા ગામનો છે કે જેમાં કારચાલકે ખાડાથી બચવાનો પ્રયાસ કરવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી હતી. આથી પરિવારના ત્રણેય લોકોના મૃત્યુ થયા છે.
આખોય પરિવાર હોમાઇ ગયો તો હવે તેના જવાબદાર કોણ?
જોકે, અહીં અનેક સવાલો ઊભા થાય છે કે રાજ્યમાં અનેકવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે તેમ છતાં તંત્ર કેમ જાગતું નથી? શું તંત્ર દર વખતે આવી કોઇ ઘટના ઘટતી રહે એની રાહ જુએ છે? જો સમયસર રસ્તો રિપેર થઇ ગયો હોત તો આ દુર્ઘટના ન સર્જાઇ હોત. ક્યાં સુધી તંત્રની બેદરકારીના કારણે લોકો આ પ્રકારની પરિસ્થિતિને ભોગવતા રહેશે? અકસ્માતમાં આખોય પરિવાર હોમાઇ ગયો તો હવે તેના જવાબદાર કોણ? આખરે ક્યારે આવા ખાડાઓથી લોકોને રાહત મળશે? શું આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નથી? ખરાબ રસ્તાના કારણે ક્યાં સુધી લોકોને મુશ્કેલી પડતી રહેશે? વરસાદ બાદ દર વર્ષે કેમ આવી સ્થિતિ સર્જાય છે?
બાયડના બાદરપુરાના ગ્રામ્યજનો ખરાબ રસ્તાને લઈ આંદોલન પર ઉતર્યા
મહત્વનું છે કે, રાજ્યમાં ઠેર-ઠેર આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના લીધે અરવલ્લીના બાયડના બાદરપુરા ગામે રસ્તાને લઈને લોકો આંદોલન પર ઉતર્યા છે. ગ્રામજનોએ પાણીમાં બેસી ખરાબ રસ્તાને લઇ રામધૂન બોલાવી. છેલ્લા 40 વર્ષથી બાદરપુરા, રામપુરા કંપા અને કાનજીપુરાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.
ખરાબ રસ્તાને લઇ ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યાં છે તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અનેક રજૂઆત બાદ પણ અંતે તો પરિણામ શૂન્ય જ મળે છે. આથી, જો સારો રસ્તો તૈયાર નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army