બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / Yuzvendra Chahal's pain spills over as RCB sacks him after 8 years, see what he had to say
Megha
Last Updated: 03:03 PM, 16 July 2023
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ઓળખાણની જરૂર નથી પણ હાલ તેને તેની નિરાશા વિશે ખુલાસો કર્યો છે કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેને આઠ વર્ષ સુધી રમ્યા બાદ 2022 IPL મેગા હરાજી પહેલા તેને રિટેન નહતો કર્યો. યુઝવેન્દ્ર ચહલે એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે, 'અલબત્ત મને ખૂબ દુઃખ થયું. મારી સફર આરસીબીથી શરૂ થઈ હતી. મેં તેની સાથે આઠ વર્ષ વિતાવ્યા. આરસીબીએ મને તક આપી અને તેના કારણે મને ઈન્ડિયા કેપ મળી. વિરાટ ભાઈએ પ્રથમ મેચથી જ મારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો, પણ હવે ખરાબ લાગ્યું કારણ કે જ્યારે તમે ટીમમાં 8 વર્ષ વિતાવો છો ત્યારે તે લગભગ પરિવાર જેવું લાગે છે.
પૈસાને લઈને પણ વાત કરી
યુઝવેન્દ્ર ચહલે આગળ કહ્યું, 'ઘણી અફવાઓ આવી, જેમ કે મેં મોટી રકમ માંગી હતી. મેં તે સમયે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનું કંઈ નથી. હું જાણું છું કે હું કેટલો હકદાર છું. મને ખરેખર દુઃખ એ હતું કે ત્યાં કોઈ ફોન કૉલ નહોતો, કોઈ પણ પ્રકારનો મેસેજ નહોતો. ઓછામાં ઓછી વાત તો કરો. મેં તેમના માટે 114 મેચ રમી છે. હરાજીમાં તેઓએ મને વચન આપ્યું હતું કે તેઓ મારા માટે શક્ય બધું કરશે. મેં કહ્યું, ઠીક છે. ત્યાં મારી પસંદગી ન થતાં હું ખૂબ ગુસ્સે થયો હતો. મેં તેને આઠ વર્ષ આપ્યા. ચિન્નાસ્વામી મારું પ્રિય મેદાન હતું. મેં RCBના કોચિંગ સ્ટાફ સાથે વાત કરી નથી.
Yuzvendra Chahal: “I felt really bad that there was no phone call or communication from RCB. At least have a talk. I played 114 matches for them. In auction, they promised to go all-out for me. When I wasn't picked, I was very angry. I gave them 8 years."pic.twitter.com/57i8G8bU3v
— Sameer Allana (@HitmanCricket) July 16, 2023
જે થયું તે સારા માટે થયું
યુઝવેન્દ્ર ચહલ આઇપીએલમાં 187 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેણે સ્વીકાર્યું કે રાજસ્થાન રોયલ્સમાં જવાથી તેના બોલર તરીકે સુધારો થયો કારણ કે તેણે ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું. 'મને ખ્યાલ છે કે હરાજી ખૂબ જ અણધારી જગ્યા છે, તેથી, મેં એ હકીકત સાથે સમાધાન કર્યું કે જે થાય છે તે સારા માટે થાય છે. આરઆરમાં, મેં ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું. આરસીબીમાં ઘણીવાર મારો ક્વોટા 16 ઓવર પહેલા પૂરો થઈ જતો હતો. તેથી, મને લાગે છે કે હું રાજસ્થાન રોયલ્સમાં ક્રિકેટર તરીકે પણ આગળ વધ્યો છું. તેથી જે થયું તે સારા માટે થયું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ