બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / Yogi Adityanath bans mobile phones in cabinet meetings
vtvAdmin
Last Updated: 04:59 PM, 1 June 2019
ADVERTISEMENT
લખનઉઃ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારનાં રોજ એક મહત્વનો નિર્ણય કર્યો છે. સૂબાનાં મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે કેબિનેટ બેઠકો દરમ્યાન મંત્રીઓ મોબાઇલ ફોન નહીં લાવી શકે, એટલે કે કેબિનેટ બેઠક દરમ્યાન મંત્રીઓનાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, સીએમ યોગીનો આ નિર્ણય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની હેકિંગ અને જાસૂસીનાં ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.
આ પહેલાં મંત્રીઓને મોબાઇલ ફોન લાવવાની અનુમતિ હતી. જો કે, તેને સ્વીચ ઓફ કરીને અથવા તો સાયલન્ટ અથવા તો એરપ્લેન મોડ પર રાખવાનો રહેતો હતો. ત્યારે મળતી જાણકારી અનુસાર, મંત્રીઓએ આપેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, હવે કેબિનેટ બેઠક દરમ્યાન મંત્રીઓએ પોતાનો મોબાઇલ ફોન બહાર જમા કરાવવાનો રહેશે. સીએમ યોગી આદિત્યનાથ ઇચ્છે છે કે મંત્રીમંડળની બેઠકમાં થનારી સંપૂર્ણ ચર્ચા પૂર્ણ ગંભીરતા અને વગર કોઇ મુશ્કેલી હોય.
ADVERTISEMENT
જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકો દરમ્યાન આવનારા ફોનને જોતા તેઓએ આ નિર્ણય કર્યો છે. મોબાઇલ ફોન અચાનક જ વાગતા બેઠકમાં બેઠેલ દરેકનું ધ્યાન ભટકી જતું. એટલું જ નહીં પરંતુ આ બેઠક સમયે ફોન પર આવનાર મેસેજ વાંચવાથી સારો એવો મેસેજ નથી જતો.
નવી વ્યવસ્થામાં મંત્રીઓને કોઇ અસુવિધા ન થાય, તે માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી. આની જવાબદારી સામાન્ય પ્રશાસન વિભાગને આપવામાં આવેલ છે. આ અંતર્ગત જ્યારે મંત્રી મંત્રીપરિષદ કક્ષમાં સીએમ દ્વારા બોલાવવામાં આવેલ બેઠકોમાં જશે તો તેઓ મોબાઇલ ફોન ટોકન લઇને બહાર જમા કરાવશે. બાદમાં ઓફિસ બહાર આવવા પર ટોકનનાં આધાર પર તેને પરત લઇ જઇ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT