બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / west bengal bjp president dilip ghosh cm mamta banerjee statement
Kavan
Last Updated: 08:24 PM, 2 March 2020
ADVERTISEMENT
મમતા બેનર્જીના આ નિવેદન પર દિલીપ ઘોષે કહ્યું કે, જ્યારે મમતા બેનર્જી ગૃહમંત્રી અમિત શાહની સામે બેસે છે ત્યારે તો આ મુદ્દાને ઉઠાવતા નથી. જ્યારે મમતા અમિત શાહની સામે હોય ત્યારે તે ગભરાય છે અને બહાર રાજકારણ કરવાનું શરૂ કરે છે. તેમણે આ વાત ગૃહ પ્રધાન સમક્ષ કહી દેવી જોઇએ.
ADVERTISEMENT
દિલ્હી હત્યાકાંડ આયોજીત નરસંહાર
આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે દિલ્હીમાં હિંસા એક આયોજિત નરસંહાર છે. મમતાએ કેન્દ્રમાંથી ભાજપને હટાવવાની હાકલ પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે આજે એક સંકલ્પ લઈએ છીએ કે સરમુખત્યાર સરકારને ઉથલાવી નહીં નાંખીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
ભાજપ સરકાર પર મમતા બેનર્જીએ કર્યા પ્રહાર
આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીની હિંસા એક નરસંહાર છે અને ભાજપે હજી સુધી તેના માટે માફી માંગી નથી. ઉપરથી તેમની નિર્લજ્જતા જુઓ અને અહીં આવી અને કહી રહ્યા છે કે તેઓ બંગાળ લઈ જશે. પશ્ચિમ બંગાળના સીએમએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જાવ અને જુઓ લોકોને બોલવાની સ્વતંત્રતા નથી.
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સંબોધી હતી સભા
રવિવારે ગૃહમંત્રી અમિત શાહે શહીદ મીનર વિસ્તારમાં એક રેલી યોજી હતી. આ દરમિયાન શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા તેમના ભત્રીજા અભિષેક પર નિશાન સાધતા કહ્યું હતું કે, આગામી વર્ષે ચૂંટણી બાદ ક્યાંક કોઇ રાજકુમાર મુખ્યમંત્રી ન બની જાય. ભાજપને વિધાનસભામાં ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મળશે.
લોકસભામાં ભાજપને મળી છે 18 બેઠક
શાહે કર્યું કે, લોકસભા ચૂંટણી પહેલા મમતા દીદી કહેતા હતા કે, ભાજપના ઉમેદવાર જામીનની રકમ ગુમાવશે. પરંતુ પ્રથમ વખત અમે અહીં 42 બેઠક પૈકી 18 સીટ મેળવી. મમતા દીદી આંકડા જોઇ શકે છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં અમે બે તૃતીયાંશ બહુમતી મળવીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT