બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Shyam
Last Updated: 08:40 PM, 20 August 2021
અમદાવાદના 175 વર્ષ જૂના માધુપુરા માર્કેટને અડાલજમાં શિફ્ટ કરાશે. પાર્કિંગની સમસ્યાના કારણે વેપારીઓને સમસ્યા થઈ રહી હતી. જેના કારણે મહાજન દ્વારા માર્કેટને અમદાવાદ બહાર શિફ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે મહાજન દ્વારા માર્કેટને અડાલજમાં શિફ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. અડાલજમાં પ્રથમ તબક્કામાં 50 હજાર વારમાં 120 દુકાનો બનાવાશે.
મહત્વનું છે કે, માધુપુરા માર્કેટમાં દરરોજનું 1 હજાર ટનથી વધુ માલનો વેપાર થાય છે. 500થી વધુ દુકાનોમાં 5 હજારથી વધુ લોકોને રોજગારી મળે છે. અમદાવાદ સહિતના જિલ્લાઓના તમામ કરિયાણા વેપારીઓ માધુપુરાથી માલ ખરીદે છે. અમદાવાદ શહેરમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી જ ટ્રક આવન-જાવન કરી શકે છે. અને જો ટ્રક માર્કેટમાં જ રહેતા વેપારી પર ખર્ચ આવે છે. તમામ સમસ્યાઓને ધ્યાને રાખીને મહાજન દ્વારા માર્કેટને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય કરાયો છે.
મહત્વનું છે કે, ગુજરાતના અમદાવાદમાં માધુપુરા હોલસેલ અનાજ માર્કેટ તરીકે જાણીતું છે. અને લોકો પોતાની ઘરવપરાશની મોટાભાગની સામગ્રી લેવા માટે અહીં આવતા હોય છે. કારણ કે, બજારમાં અન્ય જગ્યા કરતા માધુપુરા માર્કેટમાં સારી ગુણવત્તા મળી રહે છે. જેના કારણે શની-રવિના દિવસોમાં માર્કેટમાં પગ મૂકવાની જગ્યા પણ હોતી નથી. તો કોરોનાકાળમાં પણ કરિયાણાની દુકાનો ખુલી રાખવાની સરકારે નિયમો સાથે મંજૂરી આપી હતી. જિવન જરૂરિયાતની સામગ્રીઓ માટેની દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપતા લોકો માધુપુરા માર્કેટમાં પહોંચી ગયા હતા. પરંતુ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ