બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Prafull Patel will become the new chief of NCP sources
Kishor
Last Updated: 12:06 AM, 3 May 2023
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ તરીકેના હોદા પરથી રાજીનામુ ધરી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ શરદ પવારના આ નિર્ણય બાદ ભત્રીજા અજીત પવારનું નિવેદન સામે આવ્યું છે. જેમા તેઓએ કહ્યું હતું કે ઉંમરને ધ્યાનમાં રાખીને શરદ પવારે આ નિર્ણય લીધો છે. જે પરત નહિ ખેંચે! એમ પણ કહ્યું હતું કે શરદ પવાર અધ્યક્ષ નથી તેનો મતલબ એ નથી કે તેઓ પાર્ટીમાં નથી. કોઈપણ એનસીપીમાં નવા અધ્યક્ષ આવશે તે શરદ પવારના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે. મેં તેમની સાથે વાત કરી છે પરંતુ તે આ નિર્ણયથી હટશે નહીં. અમે બધા નવા પ્રમુખને સમર્થન આપીશું. હવે તેમણે કહ્યું કે તેઓ પોતાના નિર્ણય પર પુન:વિચાર કરશે અને તેના માટે 2-3 દિવસની માંગણી કરો છે.
શરદ પવાર પાર્ટીના સલાહકાર તરીકેની ભૂમિકામા રહેશે
આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને એનસીપીના નવા ચીફ તરીકે બેસાડવામાં આવી શકે તેમ છે. આ ઉપરાંત શરદ પવાર પાર્ટીના સલાહકાર તરીકેની ભૂમિકામા રહે તેવા સંજોગો વાર્તાઇ રહ્યા છે. નોંધનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જાહેરાત કરીને ચોંકાવી દીધા કે તેમણે પાર્ટી અધ્યક્ષનું પદ છોડવાનો નિર્ણય કર્યા બાદ રાજકારણ ગરમાયુ છે.
તેમની ધીરજનો અંત આવી રહ્યો છે: અજીત પવાર
અજીત પવારે વધુમાં કહ્યું કે શરદ પવાર ભલે અધ્યક્ષ ન હોય છતાં પણ પાર્ટી પોતાનું કામ કરતી રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે શરદ પવારને નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ ન કરો. હવે તેમની ધીરજનો અંત આવી રહ્યો છે. અજીત સવારે કહ્યું કે રાજીનામાં બાદ શરદ પાવર કહી રહ્યા છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે પવારને મંજુર છે. તો ભાવુક થવાની જરૂર નથી આજે કે કાલે આ થવાનું જ હતું. જેથી મારી વિનંતી છે સાહેબને પોતાના વિચાર મુજબ આગળ વધવા દો!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army