બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / બિઝનેસ / patanjali yog guru ramdev announce will come up with medicine of black fungus within a week
Dharmishtha
Last Updated: 08:53 AM, 1 June 2021
ADVERTISEMENT
રામદેવે કહ્યુ કે હું મારા કામથી મોઢું નથી ફેરવતો
યોગગુરુ રામદેવે દાવો કર્યો છે કે તે જલ્દી બ્લેક ફંગસની દવાને લઈને આવવાના છે. તેમણે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન આ દાવો કર્યો છે. તેમના નિવેદનને લઈને ઉઠેલા વિવાદના મુદ્દા પર વાતચીત દરમિયાન રામદેવે કહ્યુ કે હું મારા કામથી મોઢું નથી ફેરવતો.
ADVERTISEMENT
તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું
રામદેવે કહ્યુ કે તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું અને બહું જલ્દી એક અઠવાડિયાની અંદર બ્લેક ફંગસ, યલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદથી આપવાનો છુ. કામ થઈ ચૂક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે અત્યારે પણ ફંગસની દવા બનાવી રહ્યા છીએ. સ્વામી રામદેવે કહ્યુ કે આઈએમએ ન તો કોઈ સાઈન્ટિફિક વેલીડેશનની બોર્ડી છે ન તેમની પાસે કોઈ લેબ છે. ન તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક છે. આઈએમએ એક એનજીઓ છે.
કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે
પોતાના નિવેદનને લઈને રામદેવે કહ્યુ કે આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ એ વાતથી છે મે આ કહ્યું છે.
ડોક્ટર્સ 1 જૂને કાળો દિવસ મનાવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે કોરોનાના રસીકરણ અને એલોપેથીને લઈને આપવામાં આવેલા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાનું એલાન કર્યુ છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન ઈન્ડિયા(ફોર્ડા)ના અધ્યક્ષ ડો. મનીષે કહ્યુ કે સંસ્થા સાથે જોડાયેલા દેશના તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (આરડીએ) 1 જૂને કાળો દિવસ મનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT