બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / ધર્મ / Papmochani Ekadashi 2023 On Papmochani Ekadashi fast the coincidence of worship of Sri Hari-Shani Dev today worship like this
Arohi
Last Updated: 08:38 AM, 18 March 2023
ADVERTISEMENT
ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી શનિવાર 18 માર્ચ 2023એ છે. શનિવારે એકાદશી થવાથી વિષ્ણુજીની સાથે જ શનિની પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સવારે શ્રીહરિ વિષ્ણુના દૂધથી અભિષેક કરો અને ફરિ શનિદેવને તેલ ચઢાવો.
એકાદશીના દિવસે વ્રત, પૂજન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે પાપમોચની એકાદશી પર ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. એવામાં જગતના પાલનહારની પૂજાનું ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ પાપમોચની એકાદશી વ્રતનો પારણ સમય અને શુભ સંયોગ.
ADVERTISEMENT
પાપમોચિની એકાદશી 2023 શુભ યોગ
એકાદશી અને શનિવારના યોગમાં કરો આ કામ
પાપમોચની એકાદશી અને શનિવારનો સંયોગ હોવાથી વ્રત કરનારે આ દિવસે શનિદેવનો તેલથી અભિષેક કરો. કાળા તલ, કાળા અડદનું દાન કરો. ગરીબોને જૂતા-ચંપલ ભેટ કરો.
માન્યતા છે કે શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેમની કિસ્મત બદલાઈ જાય છે એવામાં સવારે શ્રીહરિ અને સાંજે શનિદેવની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામનાઓ પુરી થશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
શનિની મહાદશા, સાડેસાતી અથવા ઢૈયાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો ચૌમુખી દિવો કરો. ત્યાર બાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
પાપમોચની એકાદશીના દિવસે કાગડાને અનાજ ખવડાવો. કાગડા શનિદેવનું વાહન હોય છે. કાગડાને ભોજન કરાવવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવમાં કમી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT