બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Operation Conversion' was going on in Gujarat for three years.
Mehul
Last Updated: 07:21 PM, 21 November 2021
ADVERTISEMENT
ભરૂચના આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માન્તરણ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે પોલીસે એક વાયરલ વિડીયોમાં કથિત રીતે ધાર્મિક લાગણી ભડકાવી,ધર્માંતરણ કરવાની પ્રેરણાં આપતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી.જે બાબતે મોટો ખુલાસો થયો છે.ચારે'ય આરોપીઓના રીમાંડ દરમિયાન કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવતા પોલીસ પણ હોશ ખોઈ બેઠી છે.
'ઓપરેશન ધર્માંતરણ';પોલીસને ગંધ સુદ્ધા ના આવી
ADVERTISEMENT
આમોદના અંતરિયાળ વિસ્તારોમાં લગભગ 150 થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ થયું હોવાના રહસ્યસ્ફોટથી પોલીસના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ છે. આટલું મોટું ષડયંત્ર તો પોલીસની ગંધ બહાર રચાઈ ગયું અને ધર પરિવર્તન પણ થઇ ગયું ? ધર્મ પરિવર્તન બાદ 5 બાળકોને પલસાણાની મદરેસામાં રખાયા હતા. અને સુરતમાં સાડીનોવેપાર કરતો એક શખ્સ દસ્તાવેજો તૈયાર કરતો હતો. આ સાથે જ મહંમદ બિલાલ, મહંમદ ઇકબાલ મેમણ આધારકાર્ડ બનાવવાની કામગીરીમાં જોડાયા હતા. આ જ શખ્સો ગેઝેટ તૈયાર કરવા અને સોગંદનામાં કરી આપતા હતા. સ્થાનિક પોલીસ માને છે કે, કાંકરિયા સહિતના 4 ગામોમાં ધર્મપરિવર્તનનું ષડયંત્ર ચાલતું હતું અને ફરાર આરોપી હસન તેસલી, ઝડપાયેલા અઝીઝની મહત્વની ભૂમિકામાં રહીને આ ઓપરેશનને અંજામ આપતા હતા. મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા બદલામાં આ જગ્યાએ રૂ.20 લાખના ખર્ચે ઈબાદત ગૃહ અને કબ્રસ્તાન બનાવવામાં આવ્યા હતા.
કાંકરિયાની વિડીયો વાયરલ થતા કાર્યવાહી
ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનના મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જિવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલની ધરપકડ કરવામાં આવી હતી આમોદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરીયા ગામના 37 પરિવારના 150થી વધુ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે.
ત્રણ વર્ષથી ચાલતી હતી પ્રવૃત્તિ
2018થી ધર્માંતરણનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે. અજીત વસાવા નામનો વ્યક્તિ સુરત ખાતે ગાડીમાં લઇ જતો હતો. અને સુરત લઇ જઇને તમામના આધાર કાર્ડના નામ ચેન્જ કરવામાં આવતા હતા. ત્યારે મામલો સામે આવ્યા બાદ ફરિયાદીને ધમકી મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઇ ફરિયાદી પ્રવીણ વસાવાએ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું છે.
ગરીબીનો લાભ ઉઠાવી આ ખેલ થાય છે: સાંસદ વસાવા
ગેરકાયદેસર ધર્માંતરણ મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરી બિરદાવી છે...અને કહ્યું કે, ગરીબીનો લાભ ઉઠાવી ધર્માંતરણ કરાવે છે...ધર્માંતરણ અટકાવવા સરકારનું વલણ સ્પષ્ટ છે...અમે પણ ધર્માંતરણ અટકાવવા પ્રયત્નો કરીએ છીએ...અનેક ગામોમાં જાગૃતિ કાર્યક્રમો કરીએ છીએ...ગરીબ પરિવારો સુધી સરકારી લાભો પહોંચાડવા તંત્રને સૂચના આપી છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT