બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / MP upset over son not getting MLA ticket, factionalism...: Veteran BJP leader held a meeting with 54 leaders to clear the veil on this Gujarat seat
Vishal Khamar
Last Updated: 05:46 PM, 11 July 2023
પાટણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલ કલહનાં કારણે ભાજપે પાટણ વિધાસભા સીટ ગુમાવવી પડી છે. ત્યારે આંતરિક કલહને શાંત કરવા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગત રોજ પાટણનાં નેતાઓ સાથે બેઠક કરી હતી. વડોદરા શહેરમાં પાટણનાં 54 જેટલા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જે.પી. નડ્ડાએ પાટણનાં જવાબદાર નેતાઓનો ક્લાસ પણ લીધા હતા. તેમજ વિધાનસભાની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરી હતી.
ભરતસિંહ ડાભીને કોઈ નારાજગી નથીઃ રજની પટેલ (પ્રદેશ મહામંત્રી)
આ બાબતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પ્રવાસી યોજનાં અંતર્ગત રાજ્યની પાંચ લોકસભા બેઠકોની પસંદગી કરવામાં આવી છે. જેમાંની એક પાટણ લોકસભાનાં સૌ કાર્યકર્તાઓને મળવાનું થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ ડાભી બેઠકમાં હાજર રહ્યા હતા કે નહી તે બાબતે રજની પટેલે જણાવ્યું હતું કે તેઓ બેઠકમાં હાજર હતા. તેમજ તેઓની નારાજગી બાબતે પૂછતા મહામંત્રીએ હસતા હસતા કહ્યું કે ભરતસિંહ ડાભીને કોઈ નારાજગી નથી.
લોકસભા મત વિસ્તારની 4 સીટો હાર્યા છીએ જ્યારે 3 સીટો જીત્યા છીએઃ ભરતસિંહ ડાભી(સાંસદ પાટણ લોકસભા)
આ બાબતે પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની બેઠકનાં કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સાથે હાજરી આપી કાર્યકર્તાઓને લોકસભા જીતવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે થોડા દિવસ પહેલા ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા બેઠકને નબળી બેઠક ગણાવી હતી. જે નિવેદન બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની 4 સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી છે. જ્યારે ત્રણ સીટો ભાજપ જીત્યું છે.
હાલની પરિસ્થિતિને જોતા વર્તમાન સાંસદની ટિકિટ કપાવવાની પૂરેપૂરી સંભાવનાંઃ સુત્રો
થોડા દિવસ અગાઉ પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણ બેઠકને સૌથી નબળી બેઠક ગણાવી હતી. ત્યારે લોકસભાની ચૂંટણીને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે સાંસદ દ્વારા પાટણ તાલુકાનાં ગામ તો ઠીક પણ છેવાડાનાં અંતરિયા વિસ્તારનાં લોકોની પણ પાંચ વર્ષમાં કદી મુલાકાત લીધી નથી. ત્યારે વર્તમાન સાંસદે પુત્રને વિધાનસભાની ટિકિટ મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતું પુત્રને ટિકિટ ન મળતા સાંસદ નારાજ થયા હતા. ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓમાં અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, આ વખતે ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે તેવી સંભાવનાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલની પાટણ લોકસભાની પરિસ્થિતિને જોઈ ભાજપનું મોવડી મંડળ ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે. તો બીજી તરફ ભાજપનાં કાર્યકર્તાઓમાં લોકસભા સીટનાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રીનાં નામની ચર્ચા પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army