બ્રેકિંગ ન્યુઝ
મનીષા કોઇરાલા ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. હાલમાં મનીષા કોઇરાલા Netflix પર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'ને કારણે ચર્ચાઓમાં છે. બોલિવૂડ અભિનેત્રી મનીષાએ 'ખામોશી', 'બોમ્બે', 'દિલ સે', 'મન', 'લજ્જા' સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. અભિનેત્રીએ તેના સમયના ઘણા અગ્રણી ફિલ્મ નિર્માતાઓના જુદા જુદા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે અભિનેત્રી 'હીરામંડી' સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ શો 1 મેના રોજ Netflix પર સ્ટ્રીમ થશે. ત્યારે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાના કરિયર વિશે વાત કરતાં જણાવ્યું કે તેનો સૌથી મોટો અફસોસ શું છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણ છે કે ફિલ્મ નિર્માતા યશ ચોપરાની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' મનીષા કોઈરાલાને ઓફર કરવામાં આવી હતી. જે રોલ કરિશ્મા કપૂરે કર્યો એ રોલ મનીષાને ઓફર કરવામાં આવ્યો હતો. પણ મનીષાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પણ મનીષાને આ જ વાતનો અફસોસ રહી ગયો કે તેણે યશ ચોપરાની ફિલ્મમાં કામ કર્યું નથી. મનીષા કોઇરાલાએ આ વિશે વાત કરતા કહ્યું, મારી કારકિર્દીમાં મને એ વાતનો અફસોસ છે કે મેં યશ ચોપરાની ફિલ્મમાં કામ કર્યું નથી. મારી સ્પર્ધા માધુરીજી સાથે હતી અને હું ડરી ગઈ હતી. મેં તે પ્રોજેક્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
મનીષા કોઇરાલાએ આગળ કહ્યું, 'મારા સમયના દરેક એક્ટર, જ્યારે યશજી જીવતા હતા, તેમની સાથે કામ કરવા માંગતા હતા, કારણ કે તેઓ મહિલાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતા હતા. હું યશજીની ઓફિસે ગઈ હતી અને તેમને કહ્યું હતું, 'સર, મારું સપનું તમારી હિરોઈન બનવાનું છે, પણ સોલો. તમે મને માધુરી જીની સામે ઉભી કરી રહ્યા છો.' પરંતુ મારા નિર્ણય છતાં, મેં ઘણું ગુમાવી દીધું.'
ADVERTISEMENT
ADVERTISEMENT
મનીષા કોઈરાલાએ યશ ચોપરાની ફિલ્મ ના પાડી હોવા છતાં તે પછી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ 'લજ્જા'માં જોવા મળી હતી. આ વિશે વાત કરતાં મનીષાએ કહ્યું, 'વર્ષો પછી, જ્યારે રાજકુમાર સંતોષીજીએ મને લજ્જાની ઓફર કરી, ત્યારે મેં તેમને હા પાડી દીધી, કારણ કે હું પહેલાં એક વખત ભૂલ કરી ચુકી હતી. લજ્જાની વાર્તા અદ્ભુત હતી. તે મહિલાઓ અને તેમની સમસ્યાઓ પર આધારિત હતી. અને તે વિષય પર મારું દિલ આવી ગયું હતું. મને લાગે છે કે જ્યારે તમારી પાસે મજબૂત દિગ્દર્શક હોય, અને તમને તમારામાં વિશ્વાસ હોય, ત્યારે સિક્યોરિટીની લાગણી આવી જ જાય છે. આ ઉપરાંત, મેં પહેલેથી જ એક મોટો પ્રોજેક્ટ છોડવાની ભૂલ કરી હતી, જે મારી કારકિર્દી માટે સીમાચિહ્ન સાબિત થઈ શકતો હતો. મેં વિચાર્યું કે મારી ઇનસિક્યોરિટીને કારણે હું તે ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. તેથી હું ખુશ છું કે મેં તે ફિલ્મ કરી. મને લજ્જા પર ગર્વ છે.'
મનીષા કોઇરાલાએ માધુરી દીક્ષિતના વખાણ પણ કર્યા. તેણે કહ્યું, 'માધુરી જી ખૂબ જ સારી વ્યક્તિ અને અભિનેત્રી છે. મારે ઇનસિક્યોર થવાની કોઈ જરૂર નહોતી. મને લાગે છે કે જ્યારે તમારી સામે એક મજબૂત એક્ટર હોય છે, ત્યારે તમે પણ વધુ સારું પ્રદર્શન કરો છો. તેઓ તમને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરે છે. તે ઉંમર અને અનુભવથી આવે છે. મને માધુરીજી સાથે કામ કરવાની મજા આવી. મને પણ રેખાજી સાથે કામ કરવાની મજા આવી.'
વધુ વાંચો: રાખી સાવંતને થઈ શકે છે જેલ, SCએ આપ્યો ઝટકો, ચાર અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ
ઉલ્લેખનીય છે કે મનીષા કોઇરાલા 'હીરામંડી' સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ સિરીઝમાં મનીષા સાથે અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, શેખર સુમન જેવા અન્ય સ્ટાર્સ જોવા મળશે. અભિનેતા ફરદીન ખાન પણ 14 વર્ષ પછી 'હીરામંડી'થી પડદા પર વાપસી કરી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.