બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ભારત / Politics / madhya pradesh story murkho ka sardar pm modi attack on rahul gandhi in madhya pradesh

નિવેદન / પ્રચંડ પ્રહાર: PM મોદીએ રાહુલ ગાંધીને કેમ કહ્યા 'મૂર્ખોના સરદાર', કહ્યું કઈ દુનિયામાં રહે છે આ લોકો?

Dinesh

Last Updated: 08:26 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

madhya pradesh news : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક મહાજ્ઞાની કહી રહ્યાં હતા કે, તમારી પાસે મેડ ઈન ચાઈના ફોન છે, અરે મુર્ખોના સરદાર, કઈ દુનિયામાં રહે છે આ લોકો

  • PM મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
  • 'કોંગ્રેસના લોકોને દેશની ઉપલબ્ધીઓ ન જોવાની માનસિક બિમારી'
  • 'અરે મુર્ખોના સરદાર, કઈ દુનિયામાં રહે છે આ લોકો'


Assembly Elections 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના બૈતુલમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ તેમના સમયગાળામાં થયેલા કામોની વાતો કરતા જણાવ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર પર રોક લગાવવા કામ કરી રહ્યાં છે., જેના માટે તેમને વધુ અપશબ્દો સાંભળવા પડે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પંચાસ ગાળો આપે છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું. 

PM મોદીના પ્રહાર
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના એક દિવસ અગાઉ આપેલા નિવેદન મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, એક મહાજ્ઞાની કોંગ્રેસના કહી રહ્યાં હતા કે, ભારત પાસે અહીં તમામ લોકો પાસે મેડ ઈન ચાઈના મોબાઈલ છે. એક મહાજ્ઞાની કહી રહ્યાં હતા કે, તમારી પાસે મેડ ઈન ચાઈના ફોન છે. અરે મુર્ખોના સરદાર, કઈ દુનિયામાં રહે છે આ લોકો. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના લોકોને દેશની ઉપલબ્ધીઓ ન જોવાની માનસિક બિમારી છે. ખબર નહી કે, ક્યાં વિદેશી ચશ્મામાં પહેર્યા છે.

'વર્ષે તીન લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે'
પ્રધાનમંત્રી મોદીએ મોબાઈલ ઉત્પાદન અને દિવાળી પર મેડ ઈન ઈન્ડિયાના સામાનની વેચાણ અંગે આંકડા રજૂ કરતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકાર વચ્ચે એટલો તફાવત છે. પીએમ મોદીએ કહ્યું કે, સચ્ચાઈ એ છે કે, ભારત મોબાઈલ ફોન માટે બીજો સૌથી મોટો નિર્માતા દેશ છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભારતમાં દર વર્ષ 20 હજાર કરોડ મોબાઈલ બનતા હતા. હવે તીન લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, મેડ ઈન ચાઈના ને મેડ ઈન મધ્ય પ્રદેશ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તમે મોબાઈલ ફોનની પાછળ જુઓ, શર્ટ પાછળ જુઓ. ચંપલમાં જુઓ તમામ જગ્યા મેડ ઈન ચાઈના દેખાશે. તમે ક્યારે કેમરા પાછળ કે શર્ટ પાછળ મેડ ઈન મધ્યપ્રદેશ જોયુ છે. તે બતાવવા હું માંગુ છું. અમારી સરકાર ઈચ્છે છે કે, તમે કોઈ બેરોજગાર ન રહો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ