બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Extra / maava-ghari-demand-on-sharad-poonam-in-bharuch-surat-gujarat

NULL / શરદ પુનમની ઊજવણીને લઇને 'માવા-ઘારી'નો ધમધમાટ ભરૂચ સહિત સમગ્ર દ.ગુજરાતની પરંપરા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભરૂચઃ શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ ભરૂચમાં જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તેહવારો સાથે ખાણી-પીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તારાયણે જેમ ઉધીંયુ જલેબી દશેરાએ ફાફડા જલેબી શરદ પુનમે દુધ પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી જોવા મળે છે.

આશરે અઠી હજાર કિલોગ્રામથી પણ વધુ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે. જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે. રૂ.૫૨૦ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વિતરણ કરવામાં આવ્યુ છે. શીતળ ચાંદનીમાં માવાઘારીની લિજ્જત લોકો માણશે.

નવરાત્રીના સમાપન બાદ દશેરાએ ફાફડા જલેબીની જયાફત ઉડાવ્યા બાદ હવે શરદ પુનમ અને ચંદી પડવાની શીતળ ચાંદનીની મજા માણવા સ્વાદ શોખીન ઉત્સાહ પ્રેમીઓ આયોજનો કરી રહ્યા છે. ભરૂચમાં સૌથી મોટા પાયે ફાટાતળાવ રાણા પંચ દ્વારા છેલ્લા ત્રીસ કરતા પણ વધુ વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્પનનું અનેરુ કાર્ય કરવામાં આવે છે. ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા એક અઠવાડીયાથી રાણા સમાજના આશરે ૭૦ જેટલા સ્વયંસેવક કાર્યકરો શુધ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આશરે અઢી હજાર કિલોગ્રામથી પણ વધુ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે. જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પુર્વેજ બુક થઈ ચુક્યા છે.

ભરૂચ ફાટાતળાવ રાણા પંચના પ્રમુખ સનતભાઈ રાણાના જણાવ્યા અનુસાર સમાજ ઉત્પન માટેના આ સેવાકાર્યમાં સમાજના કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. મોંઘવારીના કારણે આ વર્ષે માવાઘારીના ભાવમાં ચાર ટકા જેટલો મામુલી ભાવ વધારો કરવો પડ્યો છે. રૂ. ૫૨૦ ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વિતરણ કરવામાં આવતુ હોવાનુ કહ્યું હતું. 

ભરૂચના ફાટાતળાવ રાણા પંચે માવાઘારીના વેચાણમાં ઝંપલાવતી એક સમયે સુરતથી માવાઘારી લાવતા લોકો હવે ભરૂચ માંથી જ તે ખરીદવા તરફ વળ્યા છે. જે હકીકત છે. ભરૂચમાં અન્યત્ર મિઠાઈ વિક્રેતાઓએ પણ માવાઘારીના વેચાણ માટી સજ્જ થયા છે. તો સ્વાદ શોખીનો પણ તેઓના આયોજનને અંતિમ ઓપ આપી શીતળ ચાંદનીમાં માવાઘારી ની લિજ્જત માણવા ઉતાવળા બન્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ