બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / વિશ્વ / Khalistan terrorist Paramjit Singh killed, shot dead by unknown assailants in Pakistan
Pravin Joshi
Last Updated: 04:26 PM, 6 May 2023
ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના વડા અને આતંકવાદી પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ માર્યા ગયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે બે અજાણ્યા બંદૂકધારીઓએ આતંકવાદીને ગોળી મારી દીધી હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં બની હતી. જણાવવામાં આવ્યું છે કે, પરમજીત જોહર સવારે લગભગ 6 વાગ્યે નગરમાં સનફ્લાવર સોસાયટીમાં પોતાના ઘરની નજીક ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકોએ આવીને આતંકવાદી પર ગોળીબાર કર્યો, જેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Wanted terrorist Paramjit Singh Panjwar alias Malik Sardar Singh shot dead near his house in Johar town Lahore in Pakistan. He was also wanted in the murder of former army chief AS Vaidya and one of the country's biggest bank robberies in Ludhiana.#Khalistan #Pakistan pic.twitter.com/vvWWx1hNLh
— Pranab Jha (@pminu) May 6, 2023
હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર લાહોરમાં કેટલાક બાઇક સવારોએ પરમજીત સિંહ પંજવાડને નિશાન બનાવ્યા હતા. લાહોરના જૌહર નગરની સનફ્લાવર સોસાયટીમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી. જે બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કહેવાય છે કે ગોળી વાગવાથી પંજવાડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પંજવાડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો ચીફ હતો
પરમજીત સિંહ પંજવાડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)નો નેતા હતો, જે એક આતંકવાદી સંગઠન છે. પંજવાડે 90ના દાયકાથી પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. તે પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી રહેતો હતો. તે 90ના દાયકા પહેલા પણ ભારત વિરોધી ગતિવિધિઓમાં સક્રિય હતો. કહેવાય છે કે તે 1986માં પાકિસ્તાન ગયો હતો. જ્યાં તેણે લાહોર સહિત ઘણી જગ્યાઓ બદલી.
1999માં ચંદીગઢમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો
ભારતીય એજન્સીઓ અનુસાર 30 જૂન, 1999ના રોજ ચંદીગઢમાં પાસપોર્ટ ઓફિસ પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના નેતા પરમજીત સિંહ પંજવાડે કર્યો હતો. તે બોમ્બ વિસ્ફોટમાં 4 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. બોમ્બ સ્કૂટરમાં રાખવામાં આવ્યો હતો.
આ નવ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો
ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં 9 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં પંજવાડનું નામ સામેલ હતું. તે યાદીમાં પંજવાડ સિવાય બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચીફ વધવા સિંહ બબ્બરનું નામ પણ હતું, જે તરનતારનના જ દસુવાલ ગામના રહેવાસી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army