બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / income tax return guidelines 2023 everything you need to know
Bijal Vyas
Last Updated: 11:58 PM, 4 July 2023
Income tax return guidelines 2023: નાણાકીય વર્ષ 2022-2023 માટે આવકવેરા રિટર્ન (ITR) 31 જુલાઈ સુધીમાં ભરવાનું છે. તેવામાં જો તમે અત્યાર સુધી ITR ફાઈલ નથી કર્યું, તો જલ્દીથી જલ્દી કરો. નિષ્ણાતોના મતે, તમારે ITR ભરતી વખતે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે જો તમે ભૂલ કરશો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો એવી 8 બાબતો વિશે જણીએ, જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
1. યોગ્ય ITR ફોર્મ પસંદ કરો
આવકવેરા વિભાગે ઘણા ITR ફોર્મ્સ નિર્ધારિત કર્યા છે. તમારે તમારી આવકના સ્ત્રોતના આધારે તમારું ITR ફોર્મ પસંદ કરવાનું રહેશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે આવકવેરા વિભાગ તેને નકારશે અને તમને આવકવેરા કાયદાની કલમ 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઇલ કરવાનું કહેવામાં આવશે.
2. આવકની યોગ્ય જાણકારી આપો
તમારી આવક વિશે હંમેશા સાચી માહિતી આપો. જો તમે તમારી આવકના તમામ સ્ત્રોતો જાણીજોઈને અથવા ભૂલથી પણ જાહેર ન કરો તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. બચત ખાતાના વ્યાજ અને મકાન ભાડાની આવક જેવી માહિતી પણ આપવી પડશે. કારણ કે આ આવક પણ ટેક્સના દાયરામાં આવે છે.
3. જૂની અને નવી ટેક્સ અવસ્થામાંથી પોતાના માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો
કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે બે વિકલ્પો મળે છે. નવો સ્લેબ વિકલ્પ 1 એપ્રિલ, 2023 થી આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં રૂ. 5 લાખથી વધુની આવક પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ કપાત દૂર કરવામાં આવી હતી. બીજી બાજુ, જો તમે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરો છો, તો તમે ઘણા પ્રકારની ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.
4.બેંક ખાતાની ડિટેલ ના ભરો
ઘણા લોકો તેમના તમામ બેંક ખાતાની વિગતો આપતા નથી કે જેમાંથી તેઓએ તે નાણાકીય વર્ષમાં ટ્રાન્ઝેક્શન કર્યું છે. આવું કરવું ખોટું છે, કારણ કે આવકવેરા વિભાગે તેના અધિનિયમમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, કરદાતાઓએ તેમના નામે નોંધાયેલા તમામ બેંક ખાતાઓની માહિતી આપવી જરૂરી છે.
5. ટેક્સ રિર્ટનને વેરિફાય કરો
ઘણા લોકો વિચારે છે કે, ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી તેમનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી તમારે તેનું વેરિફિકેશન પણ કરવું પડશે. તમે તમારા આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા તમારું ટેક્સ રિટર્ન ઈ-વેરીફાઈ કરી શકો છો અથવા તમે તેને CPC-બેંગલુરુ પર મોકલીને પણ વેરિફાઈ કરાવી શકો છો.
6. તહેવાર કે અન્ય કોઇ પ્રસંગ પર મળેલા ગિફ્ટ કરો જાણકારી
આવકવેરાના નિયમો હેઠળ, જો તમને એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધુની ગિફ્ટ મળી છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં, તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ ધ્યાન રાખો.
7.વિદેશમાં બેંક એકાઉન્ટ, તો તેની જાણકારી આપવી જરુરી
જો તમારું કોઈ અન્ય દેશમાં બેંક ખાતું છે, તો તમારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પણ આ માહિતી આપવી પડશે.આવકવેરાના નિયમો મુજબ, ભારતમાં તમામ કરદાતાઓએ બેંક ખાતા સહિત તમામ વિદેશી સંપત્તિઓ જાહેર કરવી પડશે. જો તમે વિદેશમાં શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો વિગતો ભરતી વખતે સાવધાન રહો.
8. ફોર્મ 26AS ડાઉનલોડ કરો અને પોતાની આવકને મેળવો
ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચુકવણીની તમામ વિગતો આપે છે. તમારા ટેક્સ રિફંડનો ક્લેમ કરતા પહેલા તેને તપાસ કરો. કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા ફોર્મ 26AS અને ફોર્મ 16/16Aમાંથી આવકનું સમાધાન કરવા કહેવામાં આવે છે. આ તમને ટેક્સની ગણતરીમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચાવશે જેથી તમે યોગ્ય ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army