બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / અજબ ગજબ / Garh kundhar fort india's most mysterious fort where entire baraat disappears

અવિશ્વસનીય / રાજસ્થાનનાં ભાણગઢથી પણ ખતરનાક છે આ કિલ્લો, જ્યાં આખેઆખી જાન થઇ ગઇ ગાયબ

vtvAdmin

Last Updated: 06:28 PM, 5 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Garh kundhar fort

આપણાં દેશમાં આજે પણ એવાં રહસ્યમયી કિલ્લાઓ છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. ત્યારે જો એવા જ કિલ્લાઓમાંથી જો વાત કરીએ તો તેવા કિલ્લાઓમાં રાજસ્થાનનાં ભાણગઢનાં કિલ્લાનું નામ આવે જ. એવાં કિલ્લાઓમાંનો એક કિલ્લો છે ગઢકુંડારનાં કિલ્લો (Garh kundhar fort). આ કિલ્લાને દેશનો સૌથી રહસ્યમયી કિલ્લો કહેવામાં આવે છે. ગઢકુંડારનો કિલ્લો એ ઉત્તર પ્રદેશ (Uttar pradesh) નાં ઝાંસી શહેરથી 70 કિલોમીટરનાં અંતરે આવેલ છે.

આ કિલ્લાને 11મી સદીમાં બનાવાયો હતો. આ કિલ્લો પાંચ માળનો છે. જેનાં ત્રણ માળ જમીનથી ઉપર અને બે માળ જમીનની નીચે છે. આ કિલ્લાને ક્યારે બનાવવામાં આવ્યો તે અંગેની કોઇ જ જાણકારી મળતી નથી. પરંતુ ઈતિહાસમાં એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને આજથી લગભગ 1500થી 2000 વર્ષ જૂનો માનવામાં આવે છે.

Garh kundhar fort

સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલ આ કિલ્લો લોકોને ભ્રમિત કરી નાખે છે. આ કિલ્લાને એવી રીતે બનાવાયો છે કે ચાર-પાંચ કિલોમીટર દૂરથી તે સ્પષ્ટ દેખાય છે. પરંતુ નજીક આવતા આવતા આ કિલ્લો દેખાવાનો બંધ થઈ જાય છે. જે રસ્તાથી તમને કિલ્લો દેખાય ત્યાંથી આપ જો ચાલ્યા જશો તો તમે રસ્તો ભટકી જશો. જ્યારે હકીકતમાં કિલ્લા માટે જવાનો રસ્તો બીજો છે.

આ કિલ્લાની ગણતરી દેશનાં સૌથી રહસ્યમયી કિલ્લાઓમાં થાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે ઘણાં સમય પહેલાં આ ગામમાં એક જાન આવી હતી. જાનનાં લોકો કિલ્લામાં ઘુમવા માટે ગયા હતાં. પરંતુ તેઓ ફરતા ફરતા એ લોકો કિલ્લાની નીચેનાં ભાગમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા. કહેવાય છે કે આ જાનમાં 50થી 60 લોકો હતા. જાનમાં આવેલા અને ગાયબ થઈ ગયેલા એ લોકોનો આજ દિન સુધી પત્તો નથી લાગ્યો. એ પછી પણ કેટલીક એવી ઘટનાઓ ઘટી કે કિલ્લાની નીચે જનારા લોકો માટે દરવાજાને બંધ કરી દેવાયો.

Garh kundhar fort

ગઢકુંડારનો આ કિલ્લો કોઈ ભૂલ ભૂલૈયાથી કમ નથી. આ કિલ્લામાં પ્રવેશનારા લોકો હંમેશાં ભૂલા જ પડી જાય છે. આ કિલ્લામાં હંમેશા અંધારૂ જ રહે છે. જેથી લોકો દિવસે પણ જતા નથી. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં ખજાનો છુપાયેલો છે. જેને શોધવાનાં ચક્કરમાં લોકો ગુમ થઈ જાય છે. જાણકારોનું કહેવું એમ છે કે, રાજાઓની પાસે સોના-હિરા, ઝવેરાતની કોઈ જ ઉણપ ન હોતી. જે આજે પણ આ કિલ્લામાં દબાયેલ છે પરંતુ તેની શોધ આજ દિન સુધી કોઇ નથી કરી શક્યું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ