બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Hiralal
Last Updated: 07:35 AM, 10 March 2024
લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના પદથી રાજીનામું આપ્યું હતું જેને રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં થોડા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. શનિવારે બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં તેમના રાજીનામાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
In a sudden move, Election Commissioner Arun Goel has abruptly resigned.
— Saket Gokhale (@SaketGokhale) March 9, 2024
The post of the other EC is vacant.
That leaves the Election Commission now with just 1 Chief Election Commissioner.
Modi Govt has introduced a new law where Election Commissioners will now be… pic.twitter.com/bCcPRgDHPr
ADVERTISEMENT
ચૂંટણી પંચમાં બે જગ્યાઓ ખાલી પડી
અરૂણ ગોયલના આ પગલા બાદ હવે ચૂંટણી પંચમાં કમિશનરની બે જગ્યાઓ ખાલી પડી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
President accepts the resignation tendered by Arun Goel, Election Commissioner with effect from the 9th March 2024: Ministry of Law & Justice pic.twitter.com/88tuyXm4uP
— ANI (@ANI) March 9, 2024
લોકસભાની બધી જવાબદારી આવી રાજીવ કુમારને શિરે
હવે ચૂંટણી તંત્રની સંપૂર્ણ જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભે આવી છે. અરુણ ગોયલ ચૂંટણીની તૈયારીઓ માટે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અનેક રાજ્યોના પ્રવાસે ગયા હતા.અરુણ ગોયલ 1985 ની બેચના આઈએએસ અધિકારી છે. તેમણે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી, અને બીજા જ દિવસે તેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક વિવાદોમાં ઘેરાયેલી હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન ટોચની અદાલતે સરકારને પૂછ્યું હતું કે, VRS લીધાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા તેની શું ઉતાવળ હતી?
Must Read🔥
— BhikuMhatre (Modi's Family) (@MumbaichaDon) March 9, 2024
Election Commissioner Arun Goel has resigned ahead of #LokSabha polls.
President has accepted his resignation.
How to read into it?
Arun Goel was one of the most trustworthy bureaucrat in #Modi Sarkar. His appointment as EC, just one day after he taking VRS, had… pic.twitter.com/nDo72ONtGt
ચૂંટણી કમિશર રાજીવ કુમાર યથાવત
ચૂંટણી પંચમાં હવે એકમાત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રહ્યાં છે. તેમના ડેપ્યુટીની બે જગ્યાઓ ખાલી પડી છે.
કેમ આપ્યું રાજીનામું
અરુણ ગોયલના અચાનક રાજીનામાથી રાજકીય વર્તૂળોમાં જાતજાતની ચર્ચા વહેતી થઈ છે. જોકે તેમના રાજીનામાનું કોઈ સત્તાવાર કારણ અપાયું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT